Essays Archives

૧૯૮૫માં નવસારીથી સાંજે કુરેલ પધાર્યા હતા. એક હરિભક્તના નવા મકાનમાં ઉતારો હતો. રાત્રે સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે સેવકોએ જોયું કે સ્વામીશ્રીની રજાઈમાં ઘણી ધૂળ હતી. એક સંત તે સાફ કરતા હતા. સ્વામીશ્રી કહે : 'શું કરો છો? ધૂળ લાગે છે?'
સંત કહે : 'હા, સાફ કરું છું.'
સ્વામીશ્રી એકદમ બોલ્યા : 'શરીર પણ ધૂળનું જ છે ને!'
તેઓની આ દૃષ્ટિનો અનુભવ એ જ રાત્રે થયો. રાત્રે ઠંડી ઘણી હતી. સ્વામીશ્રી પાસે ઓઢવાનું મર્યાદિત હતું. પણ કાંઈ બોલ્યા વિના સૂઈ રહ્યા. ઊંઘમાં ને ઊંઘમાં તેમણે બાજુમાં પડેલી મચ્છરદાની ઓઢી હતી! શરીર ધૂળનું માનીને એમણે જાતે ક્યારેય દેહની ચિંતા કરી જ નથી. શરીરના ભાવથી સદા તેઓ પર રહ્યા છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS