પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-6-2010, દિલ્હી
ઝારખંડના નિવૃત્ત ચીફ જસ્ટિસ વિનયગમ્ દર્શને આવ્યા હતા. હવે તેઓ કેન્દ્રની ઇલેક્ટ્રિકલ ટ્રિબ્યુનલના ચૅરપર્સન છે અને યુવાનોને નૈતિકતા દૃઢ કરવા માટે પ્રવચન આપે છે. તેઓ કહે : ‘હું ચીફ જસ્ટિસ હતો ત્યારે અહીં અક્ષરધામ જોવા આવ્યો હતો અને ગુજરાત ગયો ત્યારે પણ ત્યાંના અક્ષરધામમાં ગયો હતો. પેલું 23 એકરમાં છે અને આ 100 એકરમાં છે. સંસ્થાએ ઘણી પ્રગતિ કરી છે. વળી, અહીં યુવાનોમાં સંસ્કાર અને મૂલ્યોની જાગૃતિ છે. આ અક્ષરધામ યુવાનોમાં સંસ્કૃતિ અને મૂલ્યોની જાગૃતિ લાવવાનું કામ કરે છે. અમેરિકા, રશિયા કે એવા પ્રગતિ પામેલા દેશોમાં પણ આ માટેની જાગૃતિ નથી. ત્યાં બધે ઊંચાં ઊંચાં મકાનો છે, જ્યારે આપણે અહીં વિશાળ હૃદયવાળા છીએ અને એવા યુવાનો તૈયાર થાય એ આપ કરી રહ્યો છો. હકીકતમાં પૂર્વના વિચારો બધામાં પ્રસ્થાપિત થવા જોઈએ.’
સ્વામીશ્રી કહે : ‘અમારા ગુરુ યોગીજી મહારાજે પહેલેથી જ યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રો તૈયાર કર્યાં હતાં. એમના વિચારથી યુવાનો તૈયાર થઈ રહ્યા છે.’
છેલ્લે સ્વામીશ્રી કહે : ‘ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટી કેવી ચાલે છે ?’
તેઓ કહે : ‘ફંક્શનિંગ વેરી વેલ.’
Vachanamrut Gems
Gadhadã II-55:
I am always Cautious
“In addition, a thought also remains within My heart that I am the ãtmã, distinct from the body; I am not like this body. Also, My mind is always cautious, lest a portion of mãyã in the form of rajogun, tamogun, etc., infiltrate My ãtmã! In fact, I am constantly vigilant of that.”
[Gadhadã II-55]