પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-2-2010, ગાંધીનગર
અત્યારના ભારતના રાજકારણમાં એક એવી ખરાબ રીત પ્રવર્તે છે કે શાસક પક્ષ સારાં આયોજન કરે તો પણ વિરોધપક્ષ એ બાબતનો વિરોધ કરીને કામને થવા ન દે. આને કારણે પ્રજાના પૈસા અને દેશનો વિકાસ બેય અટકે છે. આ સંદર્ભમાં વ્યથિત સ્વામીશ્રીએ આજે એક સંદર્ભમાં વાત કરતાં કહ્યું : ‘વિરોધ હોય એ સારી વાત છે. વિરોધ હોય તો માણસ જાગ્રત રહે, એટલે વિરોધ-પક્ષ જરૂરી છે, પણ બધી જ બાબતોમાં (અને સારી બાબતોમાં) વિરોધ જ કરવાનો ! પ્રજાનું સારું થતું હોય ત્યારે તો સાથ આપવો જોઈએ ને ! પણ એવું કોઈ સમજતું જ નથી.’
Vachanamrut Gems
Gadhadã II-9:
The Spiritually Intelligent
"… Thus, one who is intelligent should intensely maintain spiritual strength based on the conviction of God."
[Gadhadã II-9]