બ્રહ્મરસના ભોગી
ભગવાન સ્વામિનારાયણના સંતકવિઓનાં કાવ્યોની વિશેષતા એટલે ચોસર પદો. ચાર ચારના સમૂહમાં તેમણે રચેલાં ભક્તિપદોને સંપ્રદાયની પરંપરામાં ચોસર કહેવામાં આવે છે. આ પદપ્રકાર દ્વારા તેમણે સ્વામિનારાયણીય સાધનાનો ખૂબ જ સુંદર ઉપદેશ પીરસીને મુમુક્ષુઓની મોક્ષની ભૂખ સંતોષી છે. સંપ્રદાયના અમૂલ્ય વારસા સમાં આ ઉપદેશ પદો આધ્યાત્મિક માર્ગના દેદીપ્યમાન દીપકો છે કે જે સાધકને માટે હંમેશાં આધ્યાત્મિક માર્ગ ઉજાગર કરતા રહેશે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત અને બીએપીએસ સંસ્થાના સંગીતજ્ઞ સંતોના ભક્તિપૂર્ણ કંઠે ગવાયેલાં આવાં ભક્તિપદોનો સંપુટ - બ્રહ્મરસના ભોગી, આપ સૌને અર્પણ કરતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ આનંદ અનુભવે છે.
Click on 'Track Title' to download the high res AIFF file
Download: Lyrics PDF