પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2010, ગાંધીનગર
એક પ્રસંગે સંતો સૌ સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા અને વાતો ચાલી રહી હતી. વાતચીત દરમ્યાન યજ્ઞેશ સ્વામી કહે : ‘આપના સંકલ્પો કયા ?’
સ્વામીશ્રી કહે : ‘યોગીજી મહારાજે જેટલા સંકલ્પો કર્યા છે એ પૂરા થઈ શકે એમ નથી, તો આપણે વળી જુદા ક્યાં કરવા ? આપણે તો એમના સંકલ્પ પૂરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘બીજા સંકલ્પો ન હોય તો કાંઈ નહીં, પણ ચાલો, એક સંકલ્પ કરો.’
સ્વામીશ્રી કહે : ‘છે જ નહીં, યોગીજી મહારાજે સંકલ્પ કર્યા એ પૂરા કર્યા, પછી વળી કેટલા કરીએ ? યોગીજી મહારાજ તો બ્રહ્માંડ રંગવાની વાત કરતા, સત્સંગ વધારવો છે. સાધુ વધે. એમના એ સંકલ્પમાં જ આપણે ચાલીએ છીએ.’
નારાયણચરણ સ્વામી કહે : ‘તમારા સંકલ્પ એ યોગીજી મહારાજના જ સંકલ્પ છે ને ! એટલે તમે કરો એમાં યોગીજી મહારાજના જ કહેવાય ને !’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘જુદા તો તમે માનો છો. અમે ક્યાં માનીએ જ છીએ ?’
વિશ્વવિહારી સ્વામી કહે : ‘ચાલો, એક સંકલ્પ કરો કે હજી 100 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહીને યોગીજી મહારાજના સંકલ્પો પૂરા કરવા છે.’
ધર્મવત્સલ સ્વામી કહે : ‘સો શું કામ ? સવા સો.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘સવા સો પણ શું કામ ? વધારે કહો ને !’
યજ્ઞેશ સ્વામી કહે : ‘વધારે તો કહીએ જ, પણ સંકલ્પ એટલો છે કે આ ને આ જ દેહમાં તમે વિચરો.’
સ્વામીશ્રી કહે : ‘એ (દેહ) કોઈનોય રહ્યો છે ? આત્મા છે, એમ જ માનવાનું.’
નારાયણચરણ સ્વામી કહે : ‘પણ આપ રાખજો.’
સ્વામીશ્રી કહે : ‘એ તો એ (યોગીજી મહારાજ) રાખશે. આપણે તો ભગવાનના આધારે છીએ. એમના થકી કામ થાય છે. આપણાથી કશું થતું નથી. ‘હું કરું, હું કરું,’ એમ કરે તો મર્યા. અભિમાન આવે કે ‘મેં આમ કર્યું, મેં તેમ કર્યું,’ તો પત્યું. બાકી આત્મારૂપે વર્તે તો માન થયું, અપમાન થયું કે તિરસ્કાર થયું, કશામાં વાંધો ન આવે.’
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]