પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2010, ગાંધીનગર
એક પ્રસંગે ભગતજી મહારાજની વાતો નીકળી.
સ્વામીશ્રી કહે : “નચિકેતાની જેમ જ ભગતજી મહારાજે પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે આત્મજ્ઞાન જ માગ્યું. દુઃખો વેઠીને પણ આત્મજ્ઞાન માગ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે ભગતજી મહારાજને કહ્યું કે ‘તમે વરદાન માગો’ અને પ્રલોભનો પણ આપ્યાં, ત્યારે ભગતજી મહારાજે એટલું જ કહ્યું કે ‘રાજી થયા હો તો અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપજો.’ પેલાનું (નચિકેતાનું) તો ઘણું લાંબું થઈ ગયું. વૈદિક કાળની આ વાત છે, પણ આ તો હજી હમણાં જ થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે પણ ભગતજી મહારાજને સેવ્યા હતા. આપણે તો પ્રગટની જ વાત કરીએ છીએ, પણ ‘તરી જાણું ઢબી જાણું, લેકિન ઓસાન ભૂલ જાતા હૈ.”
આટલું કહીને સ્વામીશ્રી કહે : ‘કેમ પંડિત ! બરાબર ને ?’
શ્રુતિપ્રકાશ સ્વામી કહે : ‘ભૂલી જઈએ છીએ. સ્વભાવ-દોષને લીધે બધું ભૂલી જઈએ છીએ, એટલે આત્મા-પરમાત્માનો આનંદ ઓછો થઈ જાય છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘માન-અપમાન એ બધું ભૂલીને ભગવાનનો આનંદ લેવાનો ચૂકી જવાય છે.’
સ્વામીશ્રી કહે : ‘માન-અપમાનની તો વાત જ ક્યાં રહી ? બ્રહ્મરૂપ થયો એને આ બધું ક્યાં આડું આવે ?’
આટલું કહીને સ્વામીશ્રી ગાવા લાગ્યા : માન-અપમાન મેં એકતા, સુખ-દુઃખ મેં સમભાવ; હાંજી ભલા સાધુ...’ યોગીજી મહારાજ આ કીર્તન ઘણું ગાતા. ‘મને આમ થયું ને મને તેમ થયું, મને આ મળ્યું ને પેલું ન મળ્યું,’ એ બધું થાય જ નહીં. માન-અપમાનમાં એકતા જ રહે. માન મળે તોય ભગવાનની કૃપા અને અપમાન થાય તોય ભગવાનની ઇચ્છા. દુઃખ આવે કે સુખ આવે, એની ઇચ્છા સિવાય કાંઈ જ થતું નથી. આવો વિચાર હોય તો દુઃખ થાય જ નહીં, અફસોસ થાય જ નહીં.’
Vachanamrut Gems
Gadhadã II-47:
Not Feel Hurt When the Vishays are Denounced
“… For example, Muktanand Swami has contracted tuberculosis, and so he is restricted from eating yogurt, milk and any sweet or fried food. A wise person would think to himself, 'This disease has restricted all tasty food and drink; thus I wonder if I have actually attained the company of a great sadhu in the guise of tuberculosis!' . . . Thus, an aspirant should not feel hurt when the Satpurush, in the same manner as that disease, denounces vishays.”
[Gadhadã II-47]