પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2010, ગાંધીનગર
આજે રાત્રે સ્વામીશ્રી વૉટર શૉ પર દૃષ્ટિ કરી ઉતારે પાછા પધારી રહ્યા હતા. લગભગ 8:40 વાગ્યા હતા. અંધારું ઢળી ચૂક્યું હતું. સ્વામીશ્રી વ્હીલચેર દ્વારા ઉતારા તરફ આવી રહ્યા હતા. અક્ષરધામ પરિસરમાં જરૂર હોય ત્યાં જ લાઇટો બળી રહી હતી. અક્ષરધામનાં દ્વાર બિડાઈ ગયાં હોવા છતાં પસાર થતાં સ્વામીશ્રીએ પગે લાગીને દર્શન કર્યાં.
ચાલુ વ્હીલચેરે પાછળ ઝડપથી ચાલી રહેલા સંતો પૈકી ભાદરાથી આવેલા ધર્મકુંવર સ્વામીને સ્વામીશ્રીએ પૂછ્યું : ‘પ્રતિષ્ઠાની પૂર્વતૈયારીનું કેમ ચાલે છે ?’
ધર્મકુંવર સ્વામીએ ઉતારાથી માંડીને મંદિરનિર્માણ અને જૂના મંદિરની કાયાપલટની વાતો કરી લીધી. પાંચ મિનિટના સમયમાં સ્વામીશ્રીએ પૂર્વતૈયારીનો આખો ચિતાર મેળવી લીધો.
સ્વામીશ્રીની વ્હીલચેર જઈ રહી હતી, આગળ મોબાઇલ ટ્યૂબલાઇટ અને બેટરીના સેરડાનું અજવાળું પડતું હતું. આવા સમયે પણ સ્વામીશ્રીએ સમયનો ઉપયોગ કરી લીધો.
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]