પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રીના દિવ્ય આભામંડળમાં આવા ચમત્કાર સાહજિક છે. થોડાક દિવસ પહેલાં અક્ષરધામ પરિસરના રસોડામાં સેવા આપતા મૂકેશભાઈ વ્યાસના ઉપરી અધિકારી ડી. સી. પરમાર પણ દર્શને આવ્યા હતા. આ પહેલાં સ્વામીશ્રી અહીં વિરાજમાન હતા ત્યારે પણ તેઓ દર્શને આવ્યા હતા.
આ વખતે પણ ઉમળકાથી બીજી વખત આગ્રહ-પૂર્વક દર્શને આવ્યા. તેઓને જ્યારે પૂછ્યું કે ‘કેમ આ રીતે વારે વારે મન થાય છે ?’ ત્યારે તેઓ કહે : ‘ગયા વખતે પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા ત્યારે જીવનમાં પહેલી જ વખત હું તેઓનાં દર્શન કરતો હતો. તેઓનો સ્પર્શ થયો અને મેં સંકલ્પ પણ કર્યો ન હતો છતાં વરસો જૂનું મારું વ્યસન છૂટી ગયું હતું. એટલે મને થયું કે જો વારે વારે દર્શનનો લાભ લઉં તો મારા અંતરના ખરાબ દોષો પણ નીકળી જાય. અને એટલે જ દૂષણો કાઢવા માટે અહીં આવ્યો છું.’
Vachanamrut Gems
Gadhadã III-24:
Vairagya without Gnan does not Last
“… In the same manner, vairãgya without gnãn does not last when it encounters the vishays. On the other hand, vairãgya produced from gnãn does not diminish despite encountering the vishays…”
[Gadhadã III-24]