પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
મહેસાણાથી આવેલા અભયરત્ન સ્વામીએ મહેસાણાના એક યુવકની વાત કરી. આ યુવકનો પરિવાર સત્સંગમાં નવોસવો હતો. સત્સંગમાં આવ્યા પછી યુવકને અમદાવાદ ભણવા જવાનું થયું. કોણ જાણે કેમ પણ ત્યાં કાંઈક એવો વળગાડ પેસી ગયો કે એ યુવક ગાંડા કાઢવા લાગ્યો. પોતાના સગા બાપને જોઈને કહે : ‘મારો બાપ દટાઈ ગયો છે, મારે એને કાઢવો છે.’ બધા હેરાન-પરેશાન થઈ ગયા. મહેસાણા મંદિરે લઈને આવ્યા. તો કહે : ‘મારે પ્રમુખસ્વામીનાં દર્શન કરવા છે. મને લઈ જાવ.’ એને હૉસ્પિટલમાં દાખલ કર્યો તો હૉસ્પિટલમાંથી ભાગીને મંદિરમાં આવી ગયો ને કહે : ‘મારે અહીં જ સૂવું છે.’ વારે વારે એ કહે : ‘મને પ્રમુખસ્વામીનાં દર્શન કરાવો.’ કુટુંબીઓ હેરાન હેરાન થઈ ગયાં હતાં. કોઈ હિસાબે એને મટતું ન હતું. એના આગ્રહથી સ્વામીશ્રી અહીં હતા અને એક સવારે મુલાકાતમાં એને લઈ આવવામાં આવ્યો. સ્વામીશ્રીએ ફક્ત માથે હાથ મૂક્યો ને ચમત્કાર થઈ ગયો !! સ્વામીશ્રીના આશીર્વાદ મળતાં જ એનામાં ફેરફાર થઈ ગયો. પહેલાંની જેમ જ એ કૉલેજમાં જવા લાગ્યો, જવાબદારી પણ સમજવા લાગ્યો અને શાંતિથી ભણવા લાગ્યો છે.
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]