પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-4-2010, ગાંધીનગર
ભ્રમણ માટે સ્વામીશ્રી ટ્રેડમીલ તરફ આવતા હતા. સખત ગરમી પડી રહી હતી. એના સંદર્ભમાં બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘એક મહિનો અહીં (ગાંધીનગરમાં) નક્કી.’
સ્વામીશ્રી કહે : ‘કોઈ દસ્તાવેજ કે લખાણ છે ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘બધી જગ્યાએ ગરમી બહુ છે. ધ્રાંગધ્રામાં તો 47 (સે.) ગરમી થઈ ગઈ છે, એટલે વાત કરીએ છીએ.’
યોગીચરણ સ્વામી કહે : ‘એવું કરો, મહિનો આબુ પધારો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘જ્ઞાનની દૃષ્ટિએ તાપ પણ નથી અને ઠંડી પણ નથી. જ્ઞાનીને કાંઈ અડતું નથી. જ્ઞાનીને હવા ખાવાની જરૂર જ ન હોય ! એને તો બધે સરખું જ દેખાય. ગમે એટલો તાપ હોય તોય ઠંડક.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘પ્રૅ. ફ્રિચ બહુ કહેતા કે આપે વરસે એક મહિનો તો આરામ કરવો જ જોઈએ. કંઈ જ કરવાનું નહીં.’
ભ્રમણ ચાલુ થઈ ચૂક્યું હતું, છતાં સ્વામીશ્રી ઉત્તર આપતાં કહે : ‘આપણી પરંપરાનો વિચાર કરો. કોઈએ એવું કર્યું છે ?’
સ્વામીશ્રી બોલતા હતા, પરંતુ વૉકિંગ દરમ્યાન બોલતા હોય ત્યારે અવાજ તૂટતો હોવાથી સંતોએ કહ્યું કે ‘આપ બોલશો નહીં,’ એટલે ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું વાંચન ચાલુ થયું. જેમાં સારંગપુરમાં ફૂલદોલ વખતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા એ વાત આવી. એમાં પણ સ્વામીશ્રી બોલ્યા હતા કે ‘જેને આત્મજ્ઞાન થયું હોય એને તડકો-છાંયો કશું જ નડતું નથી.’ બરાબર પ્રસંગે જ આ વાત આવતાં સ્વામીશ્રીએ એક જ શબ્દ કહ્યો : ‘સાંભળો.’
સંતો કહે : ‘પણ ધ્રાંગધ્રામાં 47 (સે.) ગરમી થઈ ગઈ છે.’
સ્વામીશ્રી કહે : ‘એવું વાંચવાનું જ નહીં, બોલવાનું પણ નહીં. જ્ઞાન અને સમજણ હોય તો ક્યાંય વાંધો ન આવે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘અત્યારે તો એવું લાગે છે કે જ્ઞાન અને સમજણ આપના માટે જ છે.’ (આપમાં જ છે).
સ્વામીશ્રી કહે : ‘કેમ, તમારે કલ્યાણ નથી જોઈતું ?’
સ્વામીશ્રીના આ પ્રશ્નમાં સૌ નિરુત્તર થઈ ગયા અને ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું વાંચન આગળ વધ્યું.
Vachanamrut Gems
Vartãl-3:
God's Param-Ekantik Sant
“… Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightening or the vadvanal fire - by thought, word and deed, while staying within the tenets of one's dharma - then bhakti coupled with the knowledge of God's greatness flourishes in that person. Also, one should realise that the person who is like lightening is knows as God's ekantik sadhu - who is in the process of God-realisation. The person who is like the vadvãnal fire is known as God’s Param-Ekãntik Sant – who is perfectly God-realised.”
[Vartãl-3]