પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 1-9-2010, ભાવનગર
	સ્વામીશ્રી રાત્રિભોજન અંગીકાર કરી રહ્યા હતા. સામે બેઠેલા સંતો પૈકી અહીંની શહેર સત્સંગ પ્રવૃત્તિ સંભાળી રહેલા ત્યાગરાજ સ્વામીને સ્વામીશ્રી કહે : ‘પેલા નાનાભાઈ રોજ આવે છે ?’
	નાનાભાઈ એટલે, ભાવનગરના જૂના ખોજા હરિભક્ત. તેઓને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ સ્નેહ. શાસ્ત્રીજી મહારાજના સમયથી અહીંના ખોજા પરિવારો સાથે સ્વામીશ્રીનો સ્નેહસંબંધ રહ્યો છે.
	વિવેકસાગર સ્વામી કહે : ‘રોજ આવે છે. એમણે મને કહેવડાવ્યું પણ હતું કે હું રોજ કથામાં આવું છું એવું સ્વામીબાપાને કહેજો.’
	આ સાંભળીને ત્યાગરાજ સ્વામીને સ્વામીશ્રી કહે : ‘કાલે નાનાભાઈને લઈ આવજો.’ આમ, કહીને મીઠા ઠપકા સાથે કહે : ‘તમે તો અહીં જ રહો છો, તમને ખબર ન પડે કે જૂના હરિભક્તોને લાવવા જોઈએ ?!’
	ત્યાગરાજ સ્વામી કહે : ‘તે દિવસે જૂના હરિભક્તોનું આયોજન કર્યું એમાં રહી ગયા.’
	સ્વામીશ્રી કહે : ‘શું રહી ગયા ? ખબર પડવી જોઈને, કોઈ રહી જવા ન જોઈએ.’
	આમ, સ્વામીશ્રીએ ખટકો રખાવ્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-28:
                                             
                                            Realising that only God is All-Blissful
                                        
                                        
                                            
	“One who has understood the greatness of God realises that only God is all-blissful, whereas the pleasures derived from the panchvishays have only a slight fraction of the bliss of God; thus he would never become attached to any object. The Moksh-dharma also mentions: ‘Compared to the bliss of the abode of God, the pleasures of the other realms are like narak.’ This is the understanding that a devotee of God should have. If he does not have this understanding, he will fall away from God…”
	[Gadhadã III-28]