પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રીએ આજે રવિસભામાં અદ્ભુત આશીર્વાદ આપ્યા. સભા પછી ઉતારે પધારીને સ્વામીશ્રી ઠાકોરજી જમાડી રહ્યા હતા. એ દરમ્યાન બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપે આજે આશીર્વચનમાં માનવતાની ખૂબ સરસ વ્યાખ્યા કરી. આપે કહ્યું, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા ગુણો આવે, કોઈનું અહિત ન થાય, દરેકનું ભલું થાય અને ભગવાન એક જ કર્તાહર્તા મનાય એ માનવતા.’
આ સાંભળતાં સ્વામીશ્રી તરત જ કહે: ‘ભગવાનને કર્તાહર્તા માને એમાં બધા જ પ્રશ્નના જવાબ આવી જાય. જે કાંઈ કરે છે એ એ જ કરે છે ને ! ભગવાન કોઈ દ્વારા માર પણ ખવડાવે અને ફૂલહાર પણ કરાવે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને જુઓને, વગર વાંકે કેટલાં અપમાન સહન કરવાં પડ્યાં ! કેટલાક એમ કહે છે કે ‘ભગવાને મારું ભૂડું કર્યું. કેટલી ભક્તિ કરતો હતો !’ પણ ભગવાન ચાહે સો કરે જ. તારી ભક્તિને શુદ્ધ કરવા માટે કરે છે.’
સ્વામીશ્રીએ અહીં પણ જીવન જીવવાની અદ્ભુત પ્રેરણા આપી, સુખી રહેવાનો સુંદર ઉપાય દર્શાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-10:
Perceiving Divinity in Both Human and Divine Actions
"… So whenever God performs divine actions, they appear divine to both a devotee and to one who is not a devotee. However, when God performs human-like actions, a true devotee still perceives divinity in them, but by no means does he perceive flaws in such actions of God. Having such understanding is known as having bhakti towards God…"
[Gadhadã II-10]