પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
માનવતાના પાઠ ભણાવીને સ્વામીશ્રી કેવાં રત્નો પેદા કરે છે, એની જાહેરાત પ્રવક્તાએ કરી. રવિ નારાયણ પટેલ નામનો ગાંધીનગર ક્ષેત્રનો એક કિશોર આૅસ્ટ્રેલિયામાં રહીને ભણે છે. સિડનીમાં એક વખત રાત્રે જાૅબ કરીને એ પાછો આવતો હતો અને વચ્ચે 27,000 ડૉલર અને પાંચ ક્રેડિટ કાર્ડ ભરેલું એક પાકીટ મળ્યું. આ પાકીટ કોઈ જ્હોન લી નામના ચાઇનીઝનું હતું. એ યુવકે પાકીટ ફંફોસીને ફોન નંબર મેળવ્યો અને ફોન કરીને ચાઇનીઝને બોલાવીને પાકીટ પાછું આપી દીધું. પેલા ચાઇનીઝને આશ્ચર્ય થયું અને બક્ષિસરૂપે 150 ડૉલર આપવા લાગ્યા, ત્યારે રવિએ એ પણ સ્વીકાર્યા નહીં અને આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સંસ્થાનો પરિચય આપ્યો.
વૈભવ પટેલ નામના યુવકે લગભગ 14 વર્ષથી નવરાત્રીનો ત્યાગ કર્યો છે, ટી.વી.-સિનેમાનો ત્યાગ કર્યો છે અને બહારની ખાણી-પીણીનો પણ ત્યાગ કર્યો છે.
સનત વિમલભાઈ ચટ્ટોપાધ્યાયને ભણ્યા-ગણ્યા પછી મહત્ત્વની નોકરી મળી. આ નોકરી ISOમાટે ઉપયોગી એવા સર્ટિફિકેટ આપવાની હતી. તેઓને આ નિમિત્તે ઘણી કંપનીઓમાં ઇન્સ્પેક્શન માટે જવાનું થતું. એક કંપનીમાં આઘુંપાછું ચાલતું હતું. એટલે સનતભાઈએ કંપની વિરુદ્ધ રિપોર્ટ આપવાનું ઠેરવ્યું. માલિકને આ ખબર પડતાં એમને બોલાવીને ઓફર કરી અને કહ્યું : ‘અમારી ઓફર સ્વીકારશો તો જિંદગીનું કામ થઈ જશે.’ ત્યારે તેઓએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું : ‘મને મારું કામ મારી રીતે કરવા દો.’ તેઓ ડગ્યા નહીં. આવું એક-બે કંપનીઓમાં થયું. આ કંપનીમાં પણ છ મહિના પછી તેઓ ફરીથી વિઝિટે ગયા, ત્યારે સરકારના ધારાધોરણ મુજબ કામ ચાલતું થઈ ગયું હતું. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘તમારી આવી નીડરતાનું રહસ્ય શું ?’ ત્યારે તેઓએ સંસ્થા અને સ્વામીશ્રીની વાતો કરી.
અશોકભાઈ રાવળ એસ.ટી.ના ચીફ એન્જિનિયર છે અને ખરીદી નિયામક તરીકે ફરજ બજાવે છે. વાર્ષિક 350 કરોડની ખરીદી તેઓને કરવાની હોય છે. આટલી લોભામણી નોકરીમાં પણ તેઓ શુદ્ધ રહી શક્યા છે. એક વાર ખરીદી કરવામાં તો વેપારીએ શુભેચ્છા રૂપે એક ભેટ ટેબલ ઉપર મૂકી તો એ પણ તેઓએ સહર્ષ પાછી આપી દીધી.
ભરતભાઈ ઉપાધ્યાય પણ આવા જ પ્રામાણિક આૅડિટર છે. શિક્ષણ ખાતામાં માધ્યમિક શાળામાં આૅડિટ કરવામાં ઘણો ભ્રષ્ટાચાર થતો હોય છે પણ તેઓ પ્રામાણિક રહ્યા છે.
જિતેન્દ્રભાઈ લીલાણી ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા-નિયામક તરીકે ફરજ બજાવે છે. 375 કૉલેજોની પરીક્ષાનું આયોજન તેઓને કરવાનું હોય છે. આવા મહત્ત્વના હોદ્દામાં કોઈ વિદ્યાર્થી એકાદ-બે માર્કથી નાપાસ થતો હોય ત્યારે તેઓના વાલીઓ તરફથી લાખો રૂપિયાની આૅફર થતી હોય છે, પરંતુ તેઓ પ્રામાણિકપણે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આ પ્રત્યેક હરિભક્તને સભામાં ઊભા કરવામાં આવ્યા. સ્વામીશ્રીની અમીદૃષ્ટિ અને રાજીપો તેઓ ઉપર વરસ્યો.
Vachanamrut Gems
Gadhadã II-10:
Form of Vairagya
"… In the same way, when one realises the bliss related to God, one develops vairãgya towards all worldly pleasures, and one develops love only for the form of God. That is the form of vairãgya."
[Gadhadã II-10]