પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૮
ગોંડલ, તા. ૧૮-૩-'૬૧
ગઢડા મધ્ય પ્રકરણનું ૨૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી કે 'જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે...' તે સાંભળી યોગીજી મહારાજ એકદમ બોલ્યા : 'ગુણાતીતનો દ્રોહ કરે ને પછી મહારાજની આરતી ઉતારે તે મહારાજ આરતી અંગીકાર કરતા હશે ?' ગુણાતીત - જે ભગવાનના ઉત્તમ ભક્ત એમના દ્રોહથી તો જીવનું સત્યાનાશ નીકળી જાય, જીવ જડસંજ્ઞાને પામી જાય. પછી એકલા શ્રીજીમહારાજની ગમે એટલી પૂજાવિધિ શાસ્ત્રવિધિ પ્રમાણે ઠાઠમાઠથી કરે, પણ મહારાજને તે અંગીકાર કરવી ગમતી નથી. જેમ દીકરાને ધોલ મારે ને બાપની આરતી ઉતારે, તે બાપ કેમ સ્વીકારે ? ન જ સ્વીકારે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]