પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-7-2010, બોચાસણ
રાત્રે સ્વામીશ્રી પોઢવા જઈ રહ્યા હતા. એ જ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. અબ્દુલ કલામનો ફોન આવ્યો. આજે તેઓ ગાંધીનગર અક્ષરધામમાં વૉટર શૉ જોવા ગયા હતા. વૉટર શૉ સંબંધી પ્રતિભાવ આપતાં સ્વામીશ્રીને તેઓ કહે : ‘આ કાર્ય કર્યું તે અત્યંત અદ્ભુત છે. મને ખૂબ આનંદ થયો. મારું માનવું છે કે ભારતની તમામ સ્કૂલોના તેરથી ઓગણીશ વર્ષના બધા જ વિદ્યાર્થીઓને આ બતાવવા જેવું છે.’
વળી, સ્વામીશ્રીની સાથે મળીને તેઓ જે પુસ્તક લખવા માગે છે એ પુસ્તકના લેખનની શરૂઆત કરવાનો આ ઉત્તમ દિવસ છે, એમ તેઓએ જણાવ્યું.
સ્વામીશ્રી કહે : ‘તમારા કાર્યમાં સફળતા મળે તે આશીર્વાદ છે. આપે દિલ્હીમાં કહ્યું હતું એ મુજબ આપ ગાંધીનગર આવ્યા એથી અમે રાજી છીએ. આપનું આયુષ્ય સારું રહે ને સારાં કાર્યો થાય એ આશીર્વાદ છે.’
અબ્દુલ કલામ કહે : ‘મેં અહીં જે એક નચિકેતાને જોયો, એવા હજારો નચિકેતા આપના દ્વારા ભારતમાં તૈયાર થાય એવી મારી ભાવના છે.’
સ્વામીશ્રી કહે : ‘આપની ભાવના સારી છે. તે ભગવાન પૂરી કરે તે માટે પ્રાર્થના. આપ અમારા આમંત્રણને સ્વીકારીને અહીં આવ્યા તે બદલ આભાર.’
અબ્દુલ કલામ કહે : ‘મારા માટે આજે આખો દિવસ આનંદનો છે.’
Vachanamrut Gems
Gadhadã II-57:
A Person having Affection for God
“If a person has developed affection for God having thoroughly realised God in this way, he would not develop affection towards any worldly object, i.e., the body, the brahmãnd, etc. Instead, all worldly objects would become insignificant to him…”
[Gadhadã II-57]