પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-7-2010
આજે વીસમી જુલાઈનો દિવસ હતો. બોચાસણમાં રાત્રે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા ત્યારે સામે બેઠેલા ભગવત્ચરણ સ્વામીએ યાદ કરાવતાં કહ્યું : ‘પચીસ વર્ષ પહેલાં આજે ઠાકોરજીની સુવર્ણતુલા થઈ હતી. સ્વામીશ્રીને શું જમાડીશું ? સોનું જમાડીએ ?’
સ્વામીશ્રી જમતાં જમતાં કહે : ‘બે હાથ જોડવા અને એ કહે એમ કરવું.’
સ્વામીશ્રીએ સોનું જમાડવાનો સોના જેવો વિશેષ અર્થ સમજાવી દીધો.
Vachanamrut Gems
Vartãl-12:
The impotent Jiva
“One who, in his heart, does not have such firm faith coupled with the knowledge of God’s greatness should be known to be impotent – no jiva is ever going to be uplifted by his words…”
[Vartãl-12]