પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-3-2010, સારંગપુર
ભોજન પછી સ્વામીશ્રીએ એક વિદ્યાર્થીને ફોનમાં આશીર્વાદ આપ્યા. દસમા ધોરણમાં 93% લાવનાર આ વિદ્યાર્થીને બારમા ધોરણમાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં એટલું ટેન્શન વધી ગયું હતું કે હોશિયાર હોવા છતાં વિશ્વાસ ગુમાવી બેઠો હતો અને અંદરની તાણને કારણે એને ફિટ આવી ગઈ હતી. હિંમત હારી ગયેલા એને બે જ દિવસ પછી આવતી બોર્ડની પરીક્ષામાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું : ‘મહારાજને સંભારીને પરીક્ષા આપજે. મહારાજ દયા કરશે. પ્રાર્થના કરજે. અમે પણ પ્રાર્થના કરીશું. જે શીખ્યો છે એને બરાબર લખાશે અને સારા માર્કે પાસ થઈ જઈશ.’
સ્વામીશ્રીનાં આટલાં વાક્યોમાં એને હિંમત વધી ગઈ અને પરીક્ષા પણ આપી અને સાથે સાથે સારા ટકા પણ એ લાવી શક્યો.
Vachanamrut Gems
Gadhadã II-9:
Fruits of Conviction
"… Therefore, there is no limit to the merits of one who, at this present time, has a conviction of Satsang. Realising this, those who are satsangis should consider themselves to be totally fulfilled…"
[Gadhadã II-9]