પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પત્રવાચનમાં એકતાનતા ! 
									
                                    
                                        
	પત્રવાચન કે લેખનમાં એ મશગૂલ પણ કેવા થઈ જાય છે! અટલાદરામાં પત્ર લખતા હતા એ દરમ્યાન રૂમમાં એક ઊંદરડી પેસી ગઈ. સંતોએ એને પકડવા ખૂબ પ્રયત્ન કર્યો. આ ધમાચકડી દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તો પત્ર લખતા જ રહ્યા. ઊંદરડી ક્યાં લપાઈ ગઈ તે ખબર જ ન પડી. હજુ તો સંતો તપાસ કરતા જ હતા ત્યાં સ્વામીશ્રીએ પત્ર લખવો પૂરો કરીને હાથ ઊંચા કર્યા અને કહ્યું : 'આ રહી ઊંદરડી !' સ્વામીશ્રીના પેટની, કેડની આજુબાજુએ એ રમી રહી હતી.
	
	ભાવનગરમાં એક રાત્રે જમ્યા પછી સ્વામીશ્રી પત્ર વાંચી રહ્યા હતા. એવામાં બલ્બ-હોલ્ડરમાંથી ગરમ બલ્બ છટકીને સીધો સ્વામીશ્રીની ગરદન ઉપરથી સરીને નીચે પડ્યો. સ્વામીશ્રીએ તો જાણે કંઈ બન્યું જ નથી એમ પત્રવાચન ચાલુ રાખ્યું. પત્ર વાંચીને એ ઊભા થયા એટલે ભદ્રેશ સ્વામીએ આ વાત કરી. સ્વામીશ્રી કહે, 'બલ્બ ક્યારે પડ્યો ?' આવી છે સ્વામીશ્રીની પત્રવાચનમાં એકતાનતા !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-47:
                                             
                                            Corrupt Intentions will Cause One to Fall
                                        
                                        
                                            
	“Also, if a person is staying with a senior sãdhu due to the temptation of obtaining tasty food or drink, or due to the temptation of obtaining nice clothes, or due to the temptation of collecting objects that he likes, then he should not be considered a sãdhu at all. Instead, he should be known to be an extremely wretched person and like a dog. One who has such corrupt intentions will ultimately fall from Satsang.”
	[Gadhadã II-47]