પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીશ્રી પત્ર વાંચવામાં... 
									
                                    
                                        
	સ્વામીશ્રી પત્ર વાંચવામાં તલ્લીન હતા અને એવામાં હરિ નામનો એક બાળક સ્વામીશ્રી પાસે આવી ગયો. પત્ર વાંચી રહેલા સ્વામીશ્રીને કહેઃ 'બાપા ! મારે એક વાત કહેવી છે.'
	'એક શું કામ, બે કરને !' પત્ર વાંચી રહેલા સ્વામીશ્રી માટે આમ તો આ બાળક ખલેલરૂપ હતો, પરંતુ સ્વામીશ્રીએ એ બાળકને નિરાશ ન કર્યો. એની વાતમાં તરત ભળી ગયા. એની વાત સાંભળવા માટે સ્વામીશ્રીએ ચશ્માં ઉતારી નાખ્યા. પત્ર એક બાજુ મૂકી દીધો અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. હરિ માંડ માંડ ગુજરાતી બોલતો હતો. અંગ્રેજી છાટવાળા એના ગુજરાતીમાં સ્પષ્ટ સંભળાય એવો કોઈ એક શબ્દ હોય તો એ હતો - ભગતજી મહારાજ. 'ભગતજી મહારાજ ચૂરમું જમી ગયા' - એ પ્રસંગ હરિએ જેવો અને જેટલો આવડતો હતો એટલો સ્વામીશ્રીને કહી સંભળાવ્યો.
	સ્વામીશ્રી પણ એ ચૂરમાવાળા પ્રસંગને ધ્યાનથી સાંભળતા રહ્યા. 'ચૂરમું' અને 'ભગતજી મહારાજ' આ બે શબ્દોને લીધે સ્વામીશ્રી આખો પ્રસંગ પકડી શક્યા અને છતાં હરિના આખા પ્રસંગને સ્વામીશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યો.
	હરિએ પ્રસંગ પૂરો કર્યો. સ્વામીશ્રીએ એને નજીક બોલાવ્યો. હસતાં હસતાં આશીર્વાદ આપીને રમૂજ કરતાં કહેઃ 'હરિ! તારે એવું કરવું ઘરમાં, અને પછી સંતાઈ જવું.'
	બાળકોને આ રીતે પ્રેમ અને હૂંફ આપીને પ્રોત્સાહિત કરવાની, સત્સંગથી અભિમુખ કરવાની સ્વામીશ્રીની કળા અદ્ભુત છે.
	(તા. ૨-૫-૨૦૦૪, રવિવાર, લંડન)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-3:
                                             
                                            Qualities of a Virtuous Person
                                        
                                        
                                            
	"One who is virtuous does not like the company of immature children from his childhood; he does not have an appetite for tasty food; and he continuously restrains his body…"
	 
	[Kãriyãni-3]