પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	આજે સ્વામીશ્રીએ રાત્રે ચેષ્ટાગાન પછી સંતોને શયનદર્શન આપ્યાં ત્યારે ભદ્રેશદાસ સ્વામી કહે : ‘ભયી સંતન કી ભીડ...’
	સ્વામીશ્રી કહે : ‘આ ભીડ સારી.’
	પછી એક સંત કહે : ‘અમે તો દોષના ભરેલા છીએ. તો અમારા દોષ તો દેખાય ને ?’
	સ્વામીશ્રી એકદમ કરુણાભર્યા સ્વરે કહે : ‘દોષ અમે ગણતા જ નથી.’
	સૌને પ્રતીતિ થઈ કે ‘જન અવગુણ પ્રભુ માનત નહિ, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાઉ.’
	બ્રહ્મયોગીદાસ સ્વામી પ્રાર્થના કરતાં કહે : ‘એવી દૃષ્ટિ અમને આપી દો.’
	‘થશે જ.’ સ્વામીશ્રી ચપટી વગાડી બોલી ઊઠ્યા.
	કેટલું મોટું સાંત્વન ! આવું સાંત્વન, આવી બાંહેધરી ગુણાતીત સત્પુરુષ સિવાય બીજું કોણ આપી શકે ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-16:
                                             
                                            Eradicating Egotism
                                        
                                        
                                            
	Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
	
	Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
	 
	[Loyã-16]