પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
નાનામાં નાના નિર્ણયોમાં પણ સ્વામીશ્રી સૌને ભેળવે છે. તેઓના નેતૃત્વની આ મહાનતા છે. આ વખતે સારંગપુરમાં ઊજવાનાર ફૂલદોલના ઉત્સવમાં સૌને ભોજનની જગ્યાએ વઘારેલી સ્વામિનારાયણ ખીચડી આપીને સાથે છાશનો ગ્લાસ આપવાનું આયોજન થયું હતું. આ આયોજનમાં બે વિકલ્પો હતા. એક વિચાર એવો હતો કે ખીચડીને બૉક્સમાં ભરીને બૉક્સ આપી દેવું અને બીજો વિચાર એ હતો કે ખીચડીને ડિસ્પોઝેબલ ડિશમાં પીરસવી. બંને વિકલ્પમાં કેટલાક પ્રશ્નો પણ હતા. કો’ક વળી એમ કહેતું હતું કે ખીચડીને બૉક્સમાં ભરી દઈને આપીએ ને કદાચ ખીચડી ઊતરી જાય તો ફૂડપોઇઝનિંગની શક્યતા રહે. જ્યારે બીજા દૃષ્ટિકોણથી આટલા વિશાળ સમુદાયને ખીચડી પીરસવામાં વ્યવસ્થાની દૃષ્ટિએ આ વાત વ્યવહારુ લાગતી ન હતી. આ સંદર્ભમાં અત્યાર સુધી ફોન ઉપર ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ આજે સ્વામીશ્રીએ જ સૌ વ્યવસ્થાપકોને રૂબરૂ બોલાવ્યા અને બધાની ઇચ્છાઓ જાણી.
છેલ્લે સ્વામીશ્રીએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું : ‘ખીચડી બને ત્યાં સુધી બપોરે જ બનાવવી અને ગરમ ગરમ ખીચડી બાઉલ જેવી ડિશમાં આપીને ઉપર ઢાંકણું ઢાંકી દેવું.’
સૌ સ્વામીશ્રીના આ નિર્ણયથી રાજી થયા.
આ મિટિંગના અંતે બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘ખીચડી જેવી બાબતમાં પણ જે રીતે ઊંડા ઊતરીને અને સૌને ભેળવીને કામ કરો છો, તો કાલે ઊઠીને ચંદ્રલોક ઉપર મંદિર થશે ત્યારે પણ જમાડવાની વ્યવસ્થાની ચિંતા આપ આ જ રીતે કરશો ?’
સ્વામીશ્રી કહે : ‘એ ટેક્નિક પણ આવશે.’
આ શબ્દોમાં 90 વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીના હૃદયમાં અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટેની જે જીવંત આશા છે એનો રણકાર હતો અને આર્ષદૃષ્ટિ હતી.
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Discourses on God
"… Therefore, if while listening to talks about God, the bliss related to God is realised, then everything that has evolved from mãyã will appear worthless. For example, a man with a copper coin in his hand will lose affection for it when someone offers him a gold coin in exchange…"
[Gadhadã II-10]