પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-5-2010, અમદાવાદ
આજની સભામાં બાળકોએ જુદા જુદા કાર્યક્રમો કર્યા હતા. ‘સ્વામીના બાગમાં ખીલ્યા રે અમે ફોરમતાં ફૂલ’ એ મધ્યવર્તી વિચાર હતો. સ્વામીશ્રીના સંગે નાના નાના બાળકોમાં પણ કેવી દૃઢતા હોય છે ! એવા કેટલાક પ્રસંગો આજની સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
બાળસભામાં કેવા બાળકો તૈયાર થાય છે, એની વાત ડૉ. જિતેન્દ્રસિંહ પરમારે કરતાં કહ્યું કે ‘એક વખત હરિ નામનો એક બાળક એક્સિડન્ટને કારણે મારી હૉસ્પિટલમાં આવ્યો. એ રિક્ષામાં જઈ રહ્યો હતો અને એ રિક્ષા પલટી ખાઈ ગઈ. એને કારણે એની હાલત ગંભીર હતી. રાત્રે 8:00 વાગે મારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો, એટલે તાત્કાલિક મેં ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. દસ કલાક પછી હરિ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે દવા આપવાની હતી. એથી મેં કહ્યું કે ‘દવા લઈ લે.’ ત્યારે આવી પરિસ્થિતિમાં પણ એ કહે : ‘હું પૂજા કર્યા પછી જ પાણી અને દવા લઈશ.’ આ સાંભળીને હું પણ અવાક્ થઈ ગયો. મેં એને સમજાવ્યો છતાં એકનો બે ન થયો.’
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]