પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 1-12-2010, બોચાસણ
	થોડા દિવસથી સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય શિથિલ હતું, એટલે પ્રાતઃપૂજા પણ રૂમમાં જ કરતા હતા અને વિશેષ કરીને રૂમમાં રહીને જ પત્રવાંચન વગેરે પ્રવૃત્તિઓ કરતા હતા.
	આજે પણ ભોજન દરમ્યાન સ્વામીશ્રી ખીચડી અને દહીં જમ્યા, એ પણ રોજ કરતાં ઓછા પ્રમાણમાં. શરૂઆતમાં સ્વામીશ્રી રૂમમાં એકલા જ હતા. સ્વામીશ્રીએ ઇચ્છા દર્શાવી કે ‘કોઈ ગ્રંથનું વાંચન થાય.’ એટલે અખંડદર્શન સ્વામીને બોલાવ્યા. તેઓએ ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું વાંચન કર્યું. સ્વામીશ્રીનંુ ભોજન તો ઝડપથી પૂરું થઈ ગયું, પરંતુ સ્વામીશ્રીની કથાની ભૂખ તો સંતોષાઈ નહીં એટલે વાંચન ચાલુ રાખવાની આજ્ઞા કરી. લગભગ બે કલાક સુધી સળંગ સ્વામીશ્રીએ આ રીતે ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું શ્રવણ કર્યું. સ્વામીશ્રીને કથાવાર્તામાં ક્યારેય તૃપ્તિ થઈ નથી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-47:
                                             
                                            Jealousy is Worse than the Five Grave Sins
                                        
                                        
                                            
	“Furthermore, if someone should give a sãdhu a nice object, one who becomes jealous as well as one who is greedy for the panchvishays are both much worse than one who has committed the five grave sins. Therefore, one who is wise should remain in the company of sãdhus and not harbour any impure intentions within…”
	[Gadhadã II-47]