પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૨
ગોંડલ, તા. ૩-૩-'૬૧
આજે સારંગપુરમાં શિખરો ઉપર સુવર્ણના કળશ ચઢી રહ્યા હતા. માંદગીને હિસાબે યોગીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખસ્વામી તે મહોત્સવમાં પધાર્યા હતા, પણ સ્વામીશ્રીએ ગોંડલમાં બિરાજીને તે પ્રસંગનો લાભ લીધો અને પોતાની ભક્તિ ચૂક્યા નહિ !
સૂતી વખતે સ્વામીશ્રી કહે, 'રાત્રે મચ્છર કાન આગળ બહુ ગણગણતા હતા. મચ્છર કહે છે આવું... આવું... મેં કહ્યું... આવને તુંય બાકી ન રહીશ... દુનિયામાં જેટલા રોગ (દુઃખ) હોય એટલા બધાય આવે.' આમ, ક્યારેક રમૂજ કરાવી પોતાની સહનશક્તિ જણાવતા.
આગલે દિવસે, અમાસને દિવસે, ડૉ. જમનાદાસે સ્વામીશ્રીને ઉપવાસ કરવાની ના પાડી હતી, છતાં ગ્રહણને હિસાબે સ્વામીશ્રીએ આગલા દિવસની રાતથી કંઈ જ લીધું ન હતું. જોકે સવારના ૭-૦૦ વાગ્યા સુધી જમવાની છૂટ હતી. રાત્રે ગ્રહણ છૂટ્યું ત્યારે ડૉક્ટરે લોહીનું દબાણ (B.P.) નોધ્યું. તેઓ કહે, 'મને બહુ નવાઈ લાગે છે કે આજે આખો દિવસ ઉપવાસ કર્યો છે છતાં સ્વામીજીની તબિયત એવી ને એવી જ છે. ઊલટાની વધારે સારી જણાય છે. ખરેખર ! મને તો આ એક ચમત્કાર જ લાગે છે.'
માંદગી સમયમાં યોગીજી મહારાજે પણ આવાં અનેક ચરિત્રો બતાવ્યાં, એનો મહિમા વિચારી ગાવો-સાંભળવો એ જ મોહની નિવૃત્તિનું કારણ છે. આ ચરિત્રોમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં એમના અમાયિક સ્વરૂપનું અને શ્રીજી સાથેની તાદાત્મ્યતાનું આપણને ગર્ભિત દર્શન થાય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Even a Trace of Anger Leads to Misery
Then Shuk Muni asked, "Mahãrãj, if a slight trace of anger arises but is then suppressed, is such anger obstructive, or not?"
Shriji Mahãrãj replied, "If a snake were to appear in this assembly at this moment, then even if it does not bite anyone, everyone would still have to rise and scatter; there would be panic in everyone's heart. Furthermore, if a tiger were to come and roar at the outskirts of a village, then even if it does not harm anyone, all would feel terror within, and no one would come out of their homes. Similarly, even if a trace of anger were to arise, it would still be a source of extreme misery."
[Loyã-1]