પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 16-3-2010, સારંગપુર
	આજે ચૈત્રી પડવો હતો. આજના દિવસે લીંબડાનો રસ પીવાનો ખૂબ મહિમા હોય છે. સંતોએ રૂપચોકીમાં લીંબડાનો રસ તૈયાર રાખ્યો હતો. સંતોએ વિરાટસ્વરૂપ સ્વામીને આગ્રહ કર્યો, પરંતુ આ કડવો રસ જોતાં જ તેઓ પગે લાગીને ઊભા થવા જતા હતા, પરંતુ સ્વામીશ્રીએ જ તેઓને આજ્ઞા કરી : ‘એક ઘૂંટડો પીઓ.’ સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓએ એક ઘૂંટડો રસ પીધો, એટલે તરત જ સ્વામીશ્રી કહે : ‘હવે અહીં બેઠેલા બધા જ એક એક ઘૂંટડો પીજો.’ સૌને કડવો રસ પીવાની આજ્ઞા કરી.
	બહુધા મિષ્ટાન્ન આપીને સ્વામીશ્રી સ્મૃતિ આપતા હોય છે, પરંતુ ક્યારેક આવો કડવો લીંબડો આપીને પણ સ્વામીશ્રી સ્મૃતિનો અમર-રસ પિવડાવતા રહે છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-13:
                                             
                                            The Obstacle-free Path
                                        
                                        
                                            
	"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
	 
	[Gadhadã II-13]