પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 14-3-2010, સારંગપુર
ભાવનગરથી એક યુવકનો પત્ર હતો. એને વ્યસન-મુક્તિ માટે ફોનમાં આશીર્વાદ લેવા હતા.
	સ્વામીશ્રી કહે : ‘તું તમાકુ, બીડી, દારૂ, માંસ - આ બધું જ છોડી દે. તારે એ જ કરવાનું છે. તું આ છોડીશ તો જ સુખી થઈશ.’
	‘છોડવા પ્રયત્ન કરું છું, પણ છૂટતું નથી.’
	સ્વામીશ્રી કહે : ‘ઝેર છે એમ માન. ઝેરને ઝેર જાણી લીધું પછી પીવે છે ?’
	‘ના.’
	‘એમ આ બધું ઝેર છે. છોડી જ દેજે.’
	‘કાલથી છોડી દઈશ.’
	સ્વામીશ્રી કહે : ‘અત્યારથી જ સંકલ્પ કર. મરણિયો ઉપાય કર.’
	સ્વામીશ્રીએ ખૂબ બળની વાતો કરી. એટલે છેલ્લે એ કહે : ‘કાલે આપનાં દર્શન કરવા આવું ?’
	સ્વામીશ્રી કહે : ‘અહીં આવીશ તો પણ આ જ વાત કરવાની છે. અત્યારે ફોનમાં બધી વાત કરી છે. અહીં આવે ત્યારે આટલી વાત ન થાય, એટલે આ બરાબર છે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-13:
                                             
                                            Shriji Maharaj Reveals His Divinity
                                        
                                        
                                            
	"Realise that the form amidst the divine light is this Mahãrãj visible before you. If you cannot do that, then at least realise, 'Mahãrãj sees the form which is amidst that aksharrup light.' Even if you can understand this much, you will be able to maintain affection for Me. As a result, you will attain ultimate liberation…"
	 
	[Gadhadã II-13]