પ્રેરણા પરિમલ
સ્વભાવ ટળશે તો જ શાંતિ થશે...
(તા. ૨-૫-૨૦૦૮, સારંગપુર)
પરદેશથી એક મહિલાનો પત્ર હતો. તેઓએ લખ્યું હતું કે મારા પતિની હૃદયના વાલ્વની સર્જરી સારી રીતે થઈ, પણ હમણાં ઘણા સમયથી મંદિરે આવતા નથી ને હરિભક્તોનો અભાવ લે છે. હું પોતે પણ કાર્યકર તરીકે સેવા તો આપું છું, પણ હું પોતે પણ અભાવ લઉં છુ. ઘરમાં પણ ખૂબ ઝઘડા થાય છે. એકબીજાનો દોષ કાઢીને ઝઘડીએ છીએ. હવે દયા કરો. મારાં જ સંતાનોને ગુસ્સાના આવેગમાં ઢોરની જેમ વર્તન કરી નાખું છુ. મને અને મારા પતિને ગુસ્સો આવે ત્યારે વાણીનો વિવેક છૂટી જાય છે. ગુસ્સો ન આવે એવું કરો.'
પત્રનો ઉત્તર આપતાં સ્વામીશ્રીએ લખાવ્યું: 'સ્વભાવ ટળશે તો જ શાંતિ થશે. એમને લખજો કે ગુસ્સો આવે ત્યારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું અને બેમાંથી એક જણે ત્યાંથી નીકળી જવું.'
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]