પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
તા. 23-4-1969ના રોજ યોગીજી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થયા પછી સ્વામીશ્રી તરત જ વાઇન્ડ-અપની સેવામાં લાગી ગયા.
તા. 24-4-1969ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘મંડપ, તંબુ તેમજ વાસણ વગેરે પાછા મોકલવાની વ્યવસ્થા ભઈલુભા બાપુ તથા જામભા તથા બારદાનવાળા શેઠના ટ્રકમાં રવાના.’
ત્યારપછીના દિવસો સ્વામીશ્રી વાઇન્ડ-અપમાં વ્યસ્ત રહ્યા. છેલ્લે તા. 26-4-1969ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘આજે તમામ વસ્તુ પરત મોકલી દીધી. કોઈપણ વસ્તુ ખૂટી નહીં.’
આટઆટલી વ્યસ્તતાઓ વચ્ચે બહારથી લાવેલાં વાસણો, ગાદલાં, રજાઈથી માંડીને નાની-મોટી વસ્તુઓમાં એક પણ વસ્તુ ખૂટે નહીં, એ જ દર્શાવે છે કે સ્વામીશ્રીએ કેટલું ઊંડાણપૂર્વક ઝીણવટથી આયોજન કર્યું હશે !! આ સમૈયો સ્વામીશ્રીના કુશળ નેતૃત્વનો પરિચય આપે છે.
તેઓની સાથે સેવામાં સહાયક સ્વયંસેવક તરીકે અખંડ રહેલા ભીમજીભાઈ વાઇન્ડ-અપ અંગે કહે છે કે
“પ્રતિષ્ઠા પૂરી થયા પછી સાંજે યોગીજી મહારાજ ગોંડલ જવા વિદાય થયા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ તો ધર્મશાળામાં વાઇન્ડ-અપનું કામ કરાવતા હતા. યોગીજી મહારાજની ગાડી ડિસોટો નીકળી ત્યારે પ્રમુખસ્વામી મને કહે : ‘બાપા ગોંડલ જાય છે, તો ચાલ મળી આવીએ.’ અમે બાપા પાસે ગયા. બાપાએ ગાડીનો કાચ ઉતારીને આશીર્વાદ આપ્યા અને પ્રમુખસ્વામીને વાઇન્ડ-અપનું કામ કરીને પાંચ દિવસ પછી ગોંડલ આવવાનું કહ્યું. અમે પાંચ દિવસમાં બધું જ વાઇન્ડ-અપનું કામ પૂરું કરીને પ્રમુખસ્વામી સાથે ગોંડલ ગયા.”
Vachanamrut Gems
Gadhadã II-51:
What are Adverse and Favourable Circumstances?
“So, only one who follows the commands of the Satpurush can be said to be under the influence of favourable circumstances. To deviate from those commands is the very definition of adverse circumstances…”
[Gadhadã II-51]