પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											જ્ઞાનની દૃષ્ટિ 
									
                                    
                                        
	તા. ૧૧-૦૨-૨૦૦૭, મુંબઈ
	આજે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ વર્તમાન પ્રવાહોની વાતો ચાલી. સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓની કંઈક કડવી વાસ્તવિકતાની વાતો નીકળતાં એક જણે કહ્યું, 'આ દેશમાં રહેવા જેવું જ નથી.'
	સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું : 'પણ આપણે શું કામ છોડીને જવું ?'
	'જોકે આમ તો જ્યાં જાવ ત્યાં બધે એટલા જ પ્રશ્ન છે એટલે આ દુનિયામાં રહેવા જેવું જ નથી.'
	સ્વામીશ્રીએ નવો જ દૃષ્ટિકોણ આપતાં કહ્યું : 'પણ આપણે દુનિયામાં ક્યાં રહીએ જ છીએ ? આપણે તો બહાર જ છીએ ! જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.'
	પ્રત્યેક સ્થિતિમાં જ્ઞાનનું કવચ ઓઢીને સુખિયા રહેવાની ચાવી સ્વામીશ્રીએ સહજમાં સમજાવી દીધી. 
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-63:
                                             
                                            If a Person does Develop a Grudge
                                        
                                        
                                            
	“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
	[Gadhadã II-63]