પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીસેવકભાવ
									
                                    
                                        
	બોટાદના સત્સંગી ભગા દોશીના કુટુંબના કેટલાક હરિભક્તો યોગીજી મહારાજને મળવા આવ્યા. સ્વામીશ્રી આફ્રિકા અને લંડનની સત્સંગ યાત્રા કરીને આવ્યા, તે અંગે તેઓ આવતાંની સાથે જ સ્વામીશ્રીની પ્રશંસા કરવા લાગ્યા.
	'બાપા, આપે તો ભારે ડંકો માર્યો. શ્રીજીમહારાજના વખતમાં પણ આપણો સત્સંગ ગુજરાતથી બહાર નથી ગયો. તે આપે લંડન સુધી સત્સંગ ફેલાવ્યો.'
	'શું બોલો છો ? એવું ન બોલાય !' સ્વામીશ્રીએ એમને બોલતાં એકદમ રોક્યા અને કહ્યું, 'શ્રીજીમહારાજની દૃષ્ટિથી આ બધો સત્સંગ વધે છે. આપણે કોણ? ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય ને પછી જાણે 'હું ગાડું હંકારું છું' એમ ન થાય. શ્રીજીમહારાજની દૃષ્ટિથી ડંકો વાગ્યો છે.'
	પોતાના ઈષ્ટદેવ શ્રીજીમહારાજની જ શક્તિનું પ્રધાનપણું આગળ કરતાં સ્વામીશ્રીના આ શબ્દોથી તે હરિભક્તો તથા ત્યાં બેઠેલા સૌ કોઈને 'સ્વામીસેવકભાવ'નું સ્વામીશ્રીમાં યથાર્થ દર્શન થયું.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-20:
                                             
                                            Not Associating with Evil Influences, Regardless of One's High Understanding
                                        
                                        
                                            
	“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.
	 
	[Vartãl-20]