પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											આત્મીયતા 
									
                                    
                                        
	પ્રમુખસ્વામી મહારાજ હરિભક્તો સાથે વાર્તાલાપ એવી મીઠાશથી કરે કે તેમાં સૌને આત્મીયતા અનુભવાય. હાડેવાથી વૃદ્ધ અને સંનિષ્ઠ હરિભક્ત દેસાઈકાકા બોચાસણ મંદિરે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેમને નીચે બેસવાની તકલીફ હતી. તેમના માટે સ્વયંસેવકો ખુરશી લાવ્યા, પરંતુ દેસાઈકાકા સ્વામીશ્રી સમક્ષ ખુરશી પર બેસવાની ના પાડતા હતા.
	સ્વામીશ્રીએ કહ્યું, 'આપણે અક્ષરધામમાં સાથે જ બેસવાનું છે, એટલે અહીં ખુરશીમાં બેસો.'
	દેસાઈકાકા કહે, 'મને એકલાને જ અક્ષરધામમાં ના લઈ જતા.' સ્વામીશ્રી તેમનો મર્મ પામી ગયા.
	સ્વામીશ્રી કહે, 'તમને અને તમારા મિત્ર હમીરભાઈ(મુસ્લિમ) અને બધાને શ્રીજીમહારાજ સાથે ધામમાં બેસાડશે. જેમ અહીં બેસાડ્યા તેમ અક્ષરધામમાં બેસાડીશું. ચિંતા ન કરતા. શ્રીજીમહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખજો.'
	સ્વામીજી સાથેના બે પળના સાંનિધ્યમાં હરિભક્તો અક્ષરધામના દિવ્ય આનંદનો અનુભવ કરી લે છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-28:
                                             
                                            Shriji Maharaj's Nature
                                        
                                        
                                            
	“Now I shall describe My own nature. Even though I have a compassionate nature, if a person spites devotees of God, then I develop an aversion towards that person. If I hear someone speaking ill of devotees, then I would not feel like speaking to him, even if I had to. On the other hand, I become extremely pleased with one who menially serves the devotees of God…”
	[Gadhadã II-28]