પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
સ્વામીશ્રી વિદાય લેવાના હોવાથી આજે એક પણ મુલાકાત રાખવામાં આવી ન હતી, પરંતુ સ્વામીશ્રીને જ્યારે ખ્યાલ આવ્યો કે ધંધાની એક પેઢીના ત્રણ ભાગીદારો વચ્ચે થોડું મનદુઃખ છે, ત્યારે તેઓને સામેથી બોલાવીને સ્વામીશ્રી શાંતિથી મળ્યા. સ્વામીશ્રીએ સૌને બળની વાતો કરીને ભેગા રાખ્યા.
તેઓને વાત કરતાં સ્વામીશ્રી કહે : ‘આપણે ધંધાનો વિકાસ કરવો હોય તો ઓછું-વત્તું બીજું-ત્રીજું જોવું જ નહીં. સંપથી, એક રુચિથી કામ કરશો તો આ છે એના કરતાં બમણું વધી જશે. જે પ્રેમથી પહેલાં કામ કરતા હતા એ જ પ્રેમથી હવે પણ કરવાનું.’
એ યુવક કહે : ‘મનમાં વિચાર જ ન આવે એવું કરો.’
સ્વામીશ્રી કહે : ‘વાત સાચી છે. ભેગા રહેવામાં કદાચ ક્યારેક કહેવું પડે, પણ મનમાં આંટી ન પડે એ જોવાનું. સંપ છે ત્યાં સુખ અને સંપત્તિ બેય છે. હવે એવું ને એવું ચલાવવું છે. ભગવાન બધું ચલાવે છે અને ચલાવશે, માટે ‘હું જ કરું છું અને બીજો કરતો નથી’ - એમ ન જોવું. વ્યવહાર તો ભગવાનનો જ છે - એમ માનીને કરીએ તો વાંધો ન આવે.’
Vachanamrut Gems
Gadhadã II-15:
The Thought to Overpower Swabhavs
“… Without this thought, though, the enemies in the form of the swabhãvs can never be overpowered, regardless of whichever types of other thoughts one may apply. Therefore, keeping enmity towards one’s swabhãvs is the greatest thought of all.”
[ Gadhadã II-15]