પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-8-2010, બોચાસણ
એક યુવકનો પરદેશથી ફોન આવ્યો. સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : ‘એક છોકરી સાથે મારે પ્રેમ છે, લગ્ન કરવાં છે, પણ છોકરીનાં માતા-પિતા છોકરીનાં લગ્ન બીજે ગોઠવવા માગે છે.’ વળી, જ્ઞાન આપતાં એ કહે : ‘પ્રેમલગ્ન કરવાનાં હોય એમાં જ્ઞાતિનું ઓછું જોવાનું હોય ? બરોબર છે ને ? જ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો નાત પણ ક્યાં છે અને જાત પણ ક્યાં છે ?’
આ સાંભળીને સ્વામીશ્રી હસી પડ્યા અને એને કહ્યું : ‘તું તો મોટો જ્ઞાની છે.’ આટલું કહીને સ્વામીશ્રી એને રમૂજ કરતાં કરતાં કહે : ‘તું જ્ઞાની છે તો હું પણ જ્ઞાની છું. તો મારી વાત સાંભળ કે રાજીખુશીથી થતું હોય તો કરવું. છોકરીની ઇચ્છા હશે તો તારી સાથે કરશે, બાકી માતા-પિતાને રાજી કરીને કરજે.’
એ યુવક કહે : ‘તમે એનાં (છોકરીનાં) માતા-પિતાને સમજાવો ને !’
સ્વામીશ્રી કહે : ‘જો, અમે તો સાધુ છીએ. અમારે એમને આ રીતે ન સમજાવાય, પણ છોકરી જ એનાં માતા-પિતાને સમજાવે એવું બળ આપ.’
એ યુવક કહે : ‘પણ હું એને પ્રેમ કરું છું, તો પછી લગ્ન કરીને એને દુઃખી તો નહીં કરું ને !’
સ્વામીશ્રી કહે : ‘તને એની સાથે પ્રેમ છે, એ તું જાણે છે, પણ એનાં મા-બાપને તારી ઉપર પ્રેમ થયો છે ? એ વાત વિચાર. તારે ઉતાવળ શું છે ? જો છોકરીની હૃદયથી ઇચ્છા હશે તો એનાં માતા-પિતાને સમજાવશે.’
Vachanamrut Gems
Gadhadã III-7:
Having Taken the Refuge of God
“God, who possesses a definite form, is always present in His abode, Brahmapur. Devotees of God, who also possess a form, remain in His service in that abode. Therefore, one who has taken firm refuge in the manifest form of God should not harbour the following fear in one’s mind: ‘What if I become a ghost or an evil spirit, or attain the realm of Indra or the realm of Brahmã after I die?’ One should not harbour such doubts in one’s mind. After all, a devotee of God who possesses the understanding mentioned earlier definitely attains the abode of God; God does not leave him astray anywhere in between.”
[Gadhadã III-7]