પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ભ્રમણ કરીને ખુરશી ઉપર વિરાજમાન હતા, સામે સંતો બેઠા હતા. ત્યાગરત્ન સ્વામીએ વિનંતી કરતાં સ્વામીશ્રીને કહ્યું : ‘આપ જે દુઃખ સહન કરો છો, એ 800 સંતોમાં વહેંચી દેવું જોઈએ.’
આ સાંભળીને મંદ સ્મિત કરતાં સ્વામીશ્રી કહે : ‘એક દહાડોય ઊભું ન રહેવાય.’
યોગીચરણ સ્વામી કહે : ‘ટ્રાય તો કરો ! આપ કહો છો એ બરાબર છે, એક દહાડો ઊભું ન રહેવાય, તો એક એક કલાક વહેંચી લઈશું.’
સ્વામીશ્રી કહે : ‘સૌ સૌની રીતે ભોગવી લે એ સારું છે.’
સ્વામીશ્રી લાખો હરિભક્તોનાં કેટકેટલાં દુઃખ વણકહ્યે સહન કરતા હશે કે બોલી ઊઠ્યા કે એક દહાડોય ઊભું ન રહેવાય !
Vachanamrut Gems
Loyã-7:
Constituents of Bhakti
"Now, what constitutes bhakti? It is when one becomes brahmarup and performs the bhakti of the manifest form of God…"
[Loyã-7]