પ્રેરણા પરિમલ
વિરલ સ્મૃતિ...
લિફ્ટમાંથી બહાર પધારતા સ્વામીશ્રીનાં દર્શન કરી દંડવત કરતાં ૮૪ વર્ષની ઉંમરના આણંદના રાવજીભાઈ પટેલ(રાવજી કાકા)ને જોઈ સ્વામીશ્રીએ કહ્યું 'હવે ઉંમર થઈ માટે દંડવત્ ન કરો તો ચાલશે.'
રાવજીભાઈ ઉત્સાહપૂર્વક કહે, 'અવસ્થાનું તો ઠીક, પણ આપ જેવા મહાપુરુષ ક્યાંથી મળવાના!'
સ્વામીશ્રી તેઓના શરીરે હાથ ફેરવીને શાસ્ત્રીજી મહારાજના સમયની જૂની સ્મૃતિ કરતાં તેમને કહેવા લાગ્યા : 'શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી આ શરીર રહ્યું છે. નારાયણભાઈએ સ્વામીને કહેવડાવ્યું કે રાવજી બીમાર છે, ને શાસ્ત્રીજી મહારાજ દોડતા ગાના પધારેલા ને આખા શરીરે હાથ ફેરવ્યો હતો, એટલે આ શરીર પાકું થઈ ગયું છે. જ્યારે જુ ઓ ત્યારે આવું જ શરીર દેખાય છે.'
રાવજીભાઈ સ્વામીશ્રીની અદ્ભુત ગુરુભક્તિનાં સંસ્મરણો સાથે સ્વામીશ્રીનાય અવિસ્મરણીય આશીર્વાદથી ધન્ય થઈ ગયા.
Vachanamrut Gems
Panchãlã-3:
Uprooting Desires and Developing Love for God
"Realising this, one should uproot the indriyas, the antahkaran and the vishays from the jiva and develop love for God - only that is appropriate. As long as one has not uprooted them, one should extract work from them in the form of the darshan, touch, etc., of God…"
[Panchãlã-3]