પ્રેરણા પરિમલ
બળદિયા થઈને સેવા કરવાની છે...
(તા. ૨૬-૦૬-૨૦૦૮, સારંગપુર)
આજે વાર્તાલાપ દરમ્યાન એક પાર્ષદ નિરંજન ભગત મૂળ ભાદરાના છે એ વાત નીકળી. એટલે સ્વામીશ્રીએ તેઓના પિતાશ્રીનું નામ જાણ્યું અને પછી કહેઃ 'તમારા દાદા માવજીભાઈ ભક્તરાજ હતા. એમના પિતાશ્રી નાનજીભાઈએ પણ શાસ્ત્રીજી મહારાજની ખૂબ સેવા કરી હતી. શાસ્ત્રીજી મહારાજ સ્ટેશને ઊતર્યા ત્યારે તેઓ ગાડું લઈને તેડવા ગયા હતા. એક બળદ ભાગી ગયો ત્યારે શાસ્ત્રીજી મહારાજને ગાડે બેસાડીને બળદની જગ્યાએ પોતે ગોઠવાયા અને સ્ટેશનેથી ગામ સુધી લઈ આવ્યા. આવી સેવા કરી. તારા દાદા શાસ્ત્રીજી મહારાજ માટે બળદિયા થયા. એમ આપણે પણ શાસ્ત્રીજી મહારાજ માટે બળદિયા થઈને સેવા કરવાની છે, કામ કરવાનું છે.'
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of the Bliss of God
"… Similarly, God has created happiness for Brahmã and others; so it is obvious to an intelligent person that compared to those, the bliss of His own abode must be far more superior. An intelligent person, then, can infer that there is an extreme abundance of bliss in the abode of God. As a result, the alluring vishays become repulsive for him."
[Panchãlã-1]