પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 14-8-2017, હ્યુસ્ટન
	આજે સાંજે સ્વામીશ્રી કિશોર દિનની સભામાં પધાર્યા. એક કાર્યક્રમમાં સ્વામીશ્રીએ પ્રશ્નોના ઉત્તરો આપેલા વિકલ્પોમાંથી પસંદ કરવાના હતા.
	પ્રશ્ન 1 : ‘મોક્ષનું સાધન કયું ?’
	સ્વામીશ્રીએ ‘સત્પુરુષ’ પર ટીક કર્યું.
	પ્રશ્ન 2 : ‘દૃઢ પ્રીતિનો અર્થ શો ?’
	સ્વામીશ્રીએ ‘મોટાપુરુષને ગમે તેમ કરવું’ વિકલ્પ પસંદ કર્યો.
	પ્રશ્ન 3 : ‘આપને પ્રમુખસ્વામી મહારાજની કઈ લીલા ગમે ?’
	સ્વામીશ્રીએ જવાબ આપ્યો - ‘હસવું.’
	ત્યારપછી, જ્યારે જ્યારે ફોનનો ઉપયોગ થાય ત્યારે સ્વામીશ્રીની યાદ આવે તે માટે સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે આપ અમને બધાને ટેક્ષ્ટ મેસેજ કરી આપનો સંદેશ આપો. સ્વામીશ્રીએ સંદેશ મોકલ્યો : ‘દિવ્યભાવ.’ જે આયોજન પ્રમાણે પલક ઝપકતાં જ બધાના મોબાઇલ પર આવી ગયો.
	અંતે સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે ‘એક એવી કઈ વસ્તુ છે, જે આપને પ્રમુખસ્વામી મહારાજની યાદ કરાવે છે ?’
	થોડી વાર વિચારીને સ્વામીશ્રી બોલ્યા : ‘બાપાના શૂઝ(જોડા).’
	સ્વામીશ્રી નિજકક્ષમાં પધાર્યા, ત્યાં સંતોએ પ્રશ્ન પૂછ્યો કે ‘આપને જેનાથી બાપાની યાદ આવે તેવી વસ્તુ આપ ‘બાપાના શૂઝ’ બોલ્યા, કેમ શૂઝ ?
	સ્વામીશ્રી કહે : ‘બાપા જ્યારે ચાલતા ત્યારે એમની પાછળની એડી ઘસાતી, સૉલને ઘસારો આવતો. તેના પરથી સ્મૃતિ થઈ આવે છે.’
	મુનિચિંતનદાસ સ્વામી પોતાનો પગ ઊંચો કરીને એડીનો ભાગ બતાવવા લાગ્યા કે ‘અહીં ઘસારો આવતો, કેમ ?’
	સ્વામીશ્રીએ કહ્યું : ‘એક પગે નહીં, બંને પગે.’
	કારણ કે સેવક સંત સ્વાભાવિક રીતે એક જ પગ ઊંચો કરીને બતાવતા હતા. પણ કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ ! કેટલી ઝીણવટભરી સ્મૃતિ ! કેટલું બધું હેત હોય ત્યારે આવી સ્મૃતિ થાય !!
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-2:
                                             
                                            The Fruit of All Spiritual Endeavours is Satsang
                                        
                                        
                                            
	“In fact, the fruit of all spiritual endeavours is satsang. In the 11th canto of the Shrimad Bhãgwat, Shri Krishna Bhagwãn says to Uddhav, ‘I am not as pleased by ashtãng-yoga, thoughts of sãnkhya, scriptural study, austerities, renunciation, yoga, sacrifices, observances, etc., as I am pleased by satsang.’ In fact, it appears to Me that all sanskãrs one has gathered from previous lives have been attained through association with the Satpurush. Even today, those who obtain sanskãrs do so through association with the Satpurush…”
	[Gadhadã III-2]