પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 16-12-2016, સેલવાસ
	આજે સ્વામીશ્રી સરી ગામમાં આવેલા એક ઔદ્યોગિક સંકુલમાં મૂર્તિપ્રતિષ્ઠા કરીને પુનઃ સેલવાસ પધારી રહેલા, ત્યારે યોગીજી મહારાજની બોધકથામાં આવતી કાળી દેવચકલીની વાત યાદ કરતાં તેઓએ કહ્યું કે
	‘કાળી દેવચકલી ત્રણ વાર પસાર થાય એટલે મહારાજ, સ્વામી અને સત્પુરુષને ધારવા. પછી કોઈ વિઘ્ન ન નડે. વહેલું-મોડું ચોખું કરીને પાર કરી દે.’
	વળી ઉમેર્યું : ‘આંખ ફરકવી ન જોઈએ, એટલે મનુષ્યભાવ નહીં કે ‘હશે કે નહીં ?’ દિવ્યભાવ રાખવો, શંકા જ નહીં.’ પછી તેની રીત શીખવતાં બોલ્યા : ‘પહેલાં વિશ્વાસ રાખવો. પછી દિવ્યભાવ આવે.’
	આના અનુસંધાનમાં સંતોએ જણાવ્યું : ‘આપે એક વાર કહ્યું હતું કે આપને યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજમાં કોઈ દિવસ મનુષ્યભાવ આવ્યો જ નથી.’
	આ વાતમાં સ્વામીશ્રીએ સંમતિ આપી.
	ત્યારે સંતોએ કેટલીક પરિસ્થિતિઓનું વર્ણન કરીને તેઓને પૂછ્યું : ‘આવા સંજોગોમાં આપને પ્રશ્ન ન થાય ?’
	‘બધું મહારાજ-સ્વામીનું છે. એ કર્તા છે. જે કરે એ બધું સારું કરે.’ સ્વામીશ્રી બોલ્યા.
	‘ગેરસમજણોની ચોખવટ કરવાનું મન ન થાય ?’
	‘ના.’
	‘કેમ ?’
	‘બધું ભગવાનનું છે. એ જ કરે છે ને એ જ કરવાના છે.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
	તેઓના શબ્દે શબ્દે તેઓની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દર્શન થતું હતું. તેમાં વાતે વળાંક લેતાં સંતોએ પૂછ્યું : ‘સત્સંગની શરૂઆતમાં આપણું ઘડતર થતું હોય ત્યારે અણસમજણને લીધે ભક્તોનો દ્રોહ થઈ જાય. પછી સમજણ આવે ત્યારે તેમનો મહિમા સમજાય, પસ્તાવો થાય. તો જે દ્રોહ થયો હોય તેનું કર્મ લાગે ?’
	‘ના.’ સ્વામીશ્રી બોલ્યા.
	‘એ બધું માફ ?’
	‘હા.’
	આ સંદર્ભમાં સંતોએ નવી જિજ્ઞાસા રજૂ કરી કે ‘આપ ઘણી વાર પૂછીએ તો કહો છો કે મહિમાનો વિચાર કરું છું. તો તેમાં આપ શું વિચારો છો ?’
	‘બધા દિવ્ય છે. અનંત પુણ્ય કરીને આ સત્સંગનો જોગ થયો છે. એમ ને એમ નથી થયો. એટલે આ દેખાય સામાન્ય જેવા, ઉંમર હોય, ઘરડા દેખાય, પણ એનું રૂપ તો ઇન્દ્ર-બ્રહ્મા જેવું છે. કુરૂપ દેખાય, રૂપવાન દેખાય, એ બધું મહારાજે કર્યું છે. બાકી બધા અતિ રૂપવાન છે એટલે એ રીતે જોવાનું.’ સ્વામીશ્રીએ પોતાની દિવ્ય દૃષ્ટિ રજૂ કરતાં કહ્યું.
	તેના અનુસંધાનમાં સંતોએ પૂછ્યું : ‘આપને તો બહાર નીકળો એટલે હરિભક્તને મળવાનું ચહ ચહ સુખ આવતું હશે ને ?’
	‘હા, બહુ. કેટલા પુણ્યશાળી છે ! સત્સંગ એમ ને એમ નથી થતો. બહુ પુણ્યના અંતે આ થાય છે.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
	આ રસપ્રદ અને બોધપ્રદ વાર્તાલાપ કરતાં કરતાં મંદિરનું આંગણું આવી ગયું. તે વખતે સંતોએ પૂછ્યું : ‘અમે જોયું છે કે આપને હરિભક્તોને મળતા હો ત્યારે અને ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હો ત્યારે ખૂબ સુખ આવે છે. તો એવી બીજી કઈ બાબતોમાં સુખ આવે છે ?’
	‘એમાં બધું આઈ ગ્યું...’ સ્વામીશ્રી બોલ્યા.
	ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે; અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે....’  આવી જ પ્રીતિ સ્વામીશ્રીને પણ હરિભક્તો વિષે છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-5:
                                             
                                            Recognising Deceit
                                        
                                        
                                            
	Thereafter Shriji Mahãrãj asked another question: "If a person is deceitful, and also cunning, how can he be recognised?"
	
	Again, the paramhansas were unable to answer.
	
	So Shriji Mahãrãj replied, "His deceitfulness can be recognised by keeping his company, and, while staying with him, by observing him while he eats, drinks, sits, stands, walks and talks. Also, when he is separated from oneself, if another person is asked to secretly observe him, then his deceitfulness would be recognised."
	 
	[Loyã-5]