પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સાંજે જ પ્રયાસવીનભાઈએ સ્વામીશ્રીને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘હું કેટલાંય વરસોથી જોઉં છું કે આપ આખી દુનિયાના ભલા માટે ખૂબ જ ફિકર કરો છો અને એટલે જ અમને એમ થાય છે કે અહીં આવીને આરામ કરો.’
વળી, રાત્રે આરામમાં જવા માટે સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજ્યા ત્યારે ભગવતચરણ સ્વામીએ પણ કહ્યું : ‘શાંતિથી ઊઠજો, કોઈ ઉતાવળ કરશો નહિ. અહીં આપને રોક્યા એ દરમ્યાન મિટિંગો પણ ગોઠવી નથી. એટલે શાંતિથી ઊઠજો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘સાધુના ધરમમાં આવું લખ્યું છે ? સાધુએ તો સવારે વહેલા ઊઠવું, મંગળામાં જવું, એ રીત રાખવાની હોય. એટલે તમારે આવો ઉપદેશ જ ન આપવો. મને પણ નહિ ને બીજાને પણ નહિ, નહિ તો બધા આળસુ થઈ જાય.’
સ્વામીશ્રી હંમેશાં જાણપણારૂપ દરવાજે રહે છે અને આપણને પણ શિખવાડે છે.
Vachanamrut Gems
Panchãlã-7.9:
Not Developing Delusion in God
"… Furthermore, whichever human traits seem apparent in that God should be understood to be like the 'mãyã' of a magician. One who has such an understanding does not develop any form of delusion for that God in any way."
[Panchãlã-7.9]