પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રી વિદાય લઈને અટલાદરા પધારવાના હતા. સ્વામીશ્રી અહીં રહ્યા એ દરમ્યાન સ્વામીશ્રીના નિવાસસ્થાનની બાજુમાં હંગામી ધોરણે એક રસોડું ઊભું કરવામાં આવ્યું હતું અને અહીં આવનાર સંતો તથા આમંત્રિત હરિભક્તો અહીં જમતા હતા. આજે વિદાય લેવાની હતી ત્યારે ભોજન અંગીકાર કરતાં કરતાં સ્વામીશ્રીએ ઘનશ્યામપ્રસાદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું : ‘અમે તો અત્યારે જ જમીને નીકળી જઈએ છીએ, પણ તમે અહીં રોકાજો અને વાઇન્ડ-અપ કરીને બધું ચોખ્ખું કરીને સાફસૂફી કરાવીને પછી જ નીકળજો.’
સ્વામીશ્રીની આ સહજ પ્રકૃતિ છે. મહેમાન કઈ રીતે થવું એ પણ સ્વામીશ્રી પાસે શીખવા જેવું છે.
Vachanamrut Gems
Loyã-14:
Who Will Definitely Regress in Satsang?
"… but as for those who have anger, egotism or jealousy, they can be seen to definitely regress in Satsang…"
[Loyã-14]