પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-1-2010, નડિયાદ
આજનું વાતાવરણ કંઈક જુદું હતું. ઠંડીની ૠતુમાં વળી વાદળાં ચઢી આવ્યાં હતાં. એને કારણે સવારના પહોરથી માવઠું વરસી રહ્યું હતું. એટલે ઠંડી થોડીક વધારે કાતિલ બની ગઈ હતી. સ્વામીશ્રીને પણ માવઠાની અસર ન થાય એ માટે શાલ-ટોપી ઓઢાડવામાં આવી હતી. આમ તો બહાર બંધાયેલો સભામંડપ થોડોક પલળી ચૂક્યો હતો. એટલે આજે તેઓ બહાર પૂજા કરે કે નહીં તેની અનિશ્ચિતતા હતી, પરંતુ સ્વામીશ્રીએ જ આગ્રહ કર્યો કે બહાર જ પૂજા કરવી છે. એને લીધે આજનાં સ્વામીશ્રીનાં દર્શન સૌને માટે શક્ય બન્યાં.
ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામીશ્રી રોજના સ્થળે જ પૂજા કરવા માટે પધાર્યા, ત્યારે કારપેટ પણ ભીની થઈ ચૂકી હતી. સભામંડપની લોન અને બહારનાં પાથરણાં પણ ભીનાં હતાં. સ્વામીશ્રીના પધારતાં જ સૌ હરિભક્તો તાળી પાડી ઊઠ્યા. અત્યાર સુધી ઊભા રહેલા આ હરિભક્તો સ્વામીશ્રીના પધારતાં જ પોતાનાં કપડાં બગડવાની પરવા કર્યા વગર બેસવા માંડ્યા. બહાર ખુલ્લામાં પણ એ જ રીતે સૌ બેસવા લાગ્યા. વરસાદે પણ જાણે કે આ સૌની ભક્તિ અને સ્વામીશ્રીના સંકલ્પને જોયો અને સ્વામીશ્રીના પધારવાની પાંચ મિનિટ પહેલાં જ વરસવો બંધ થઈ ગયો.
Vachanamrut Gems
Loyã-8:
Overcoming One's Swabhavs
Shriji Mahãrãj replied, "A recently formed swabhãv is overcome by staying in the company of a pious sãdhu and by making a little effort to eradicate it…"
[Loyã-8]