પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૬૬
									
                                    
                                        
	મોમ્બાસા, તા. ૧૬-૪-'૭૦
	બપોરે ૧૨-૩૦
	સવારનો સભાનો કાર્યક્રમ પૂરો કરી યોગીજી મહારાજ ઉતારે - શ્રી રવિભાઈ પંડ્યાને બંગલે પધાર્યા. એમના બંગલાના પોર્ચમાં મોટર ઊભી રહી. સ્વામીશ્રી ઊતર્યા અને નારાયણ ભગતના હાથનો ટેકો લેતા, અચાનક એમને પૂછ્યું, 'તમારે શું લેવું છે ? ધાબળી, પેન વગેરે જે લેવું હોય તે મને કહો તો હું લાવી આપું.'
	થોડી ક્ષણો થંભીને નારાયણ ભગતે કહ્યું, 'બાપા, કંઈ જોઈતું નથી. પણ આપ જ કહો કે શું લેવા જેવું છે ?'
	'ભગવાનની મૂર્તિ,' હાથના એક હળવા ઝાટકા સાથે, હસતા વદને, સહસા એક વેપારીની અદાથી સ્વામીશ્રી બોલી ઊઠ્યા. વેપારીને પોતાનો જ માલ સારામાં સારો લાગે અને એ ખપાવવાનો એને જેટલો ઉત્સાહ હોય એના કરતાં પણ કોઈ અજબ ઉમંગથી સ્વામીશ્રી બોલ્યા. અને એ માલના પોતે જ એક માત્ર મુખ્ય વિક્રેતા (Sole Agent) હતા. કારણ દુનિયાની બજારમાં પણ એ શોધ્યો જડે એમ નહોતો. મોનોપોલી બિઝનેસમેનની જેમ પોતાના માલનો પ્રચાર કરવાનો સ્વામીશ્રીનો કેફ કાંઈ જુદો જ જણાતો હતો. આવા પ્રસંગે સહેજે જ જણાઈ આવતું કે આ પુરુષને મહારાજની મૂર્તિ વિના કશામાંય રસ નથી. અને પોતાના આશ્રિતને પણ એ જ આપવાનું તાન છે.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-1:
                                             
                                            The Cause of Not Feeling Fulfilled Within
                                        
                                        
                                            
	Thereafter, Motã Shivãnand Swãmi asked, "Despite having complete faith in God, why does one not feel fulfilled within?"
	
	Shriji Mahãrãj replied, "A person whose antahkaran burns due to the enemies of lust, anger, avarice, affection, egotism, cravings for taste, etc., would not believe himself to be fulfilled - even if he does have faith in God."
	 
	[Loyã-1]