પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 27-8-2016, અટલાદરા
	આજે બપોરે ભોજન દરમ્યાન સ્વામીશ્રીના વિશિષ્ટ અનુભવોનો અધ્યાય ખૂલી ગયેલો. તેમાં સંતોએ કહ્યું :
	“અહીંના એક મુમુક્ષુને સ્વામીબાપાનાં દર્શનની ખૂબ ઇચ્છા હતી, પણ સ્વામીબાપા ધામમાં પધાર્યા. તેથી આમને વસવસો રહી ગયો. તેઓ સંતોને મળ્યા ત્યારે આપની વાત કરી કે ‘અત્યારે પ્રમુખસ્વામી મહારાજના ઉત્તરાધિકારી મહંત સ્વામી મહારાજ છે, તમે દર્શને આવો.’
	તે આવ્યા. આપનાં દર્શન કર્યાં. પછી સંતો તેમને મળવા ગયા ત્યારે તે એકદમ આનંદમાં હતા. તેઓ કહે : ‘મારો વસવસો જતો રહ્યો. સ્વામીશ્રીનો સ્પર્શ થયો ને મને શાંતિ શાંતિ થઈ ગઈ.”
	અન્ય એક સંતે પણ તેઓના ગુણભાવી મિત્રની વાત કરી કે ‘તા. 15-8-2016ના રોજ નરેન્દ્રભાઈ મોદી સ્વામીબાપાનાં દર્શને આવ્યા હતા ત્યારે મારા મિત્રે નરેન્દ્રભાઈની બાજુમાં આપનાં દર્શન કર્યાં. એ દર્શનથી જ તે ખૂબ પ્રભાવિત થઈ ગયા. તે કહે : ‘ગુરુ હોવા છતાં આ સ્વામીશ્રી કેવા નમ્ર છે ! કેવી સાદાઈ છે ! માટે મેં તેઓને મનોમન ગુરુ તરીકે સ્વીકારી લીધા. ગુરુ તો આવા જ હોય.’
	સ્વામીશ્રીની નમ્રતાનો કેવો પ્રભાવ !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-72:
                                             
                                            Power of Faith
                                        
                                        
                                            
	Thereupon Shriji Mahãrãj said, "If a devotee of God has faith in God coupled with the knowledge of His greatness and also thoroughly realises the greatness of the sãdhus and satsangis, then even if that devotee's karmas as well as kãl happen to be unfavourable, both kãl and karma combined are incapable of harming him due to the extreme force of his bhakti. On the other hand, a person lacking faith in God and His Sant does not benefit in any way, even if God wishes to do good for that person."
	 
	[Gadhadã I-72]