પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 12-5-2017, અમદાવાદ
	સ્વામીશ્રી પોઢવા માટે પલંગ પર વિરાજ્યા.
	થોડા દિવસો પહેલાં સ્વામીશ્રી સમક્ષ એક બાળકનો પ્રશ્ન રજૂ થયો હતો કે ‘ગર્ભમાં તે બાળકના ગળાની ફરતે પોષણની નાડી વીંટળાઈ ગઈ છે... ડૉક્ટર ઓપરેશન કરવાનું કહે છે તો શું કરવું ?’
	સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે ‘સારું થઈ જશે.’
	અત્યારે પોઢતાં સ્વામીશ્રીએ તેની પૃચ્છા કરી : ‘તેનું શું થયું ?’
	શ્રુતિપ્રિયદાસ સ્વામીએ કહ્યું : ‘કાલે સવારે પૂછીને આપને જણાવી દઈશું.’
	સ્વામીશ્રી સમક્ષ થતી પ્રત્યેક પ્રાર્થના તેમની નોંધમાં રહે છે. આ છે તેઓની ભક્તો પ્રત્યેની આત્મીયતા.
	પછી તો સ્વામીશ્રીએ ઐશ્વર્ય વાપરીને આવાં અશક્ય કાર્યો શક્ય કર્યાં હોય તેવા પ્રસંગો સેવકો કહેવા લાગ્યા. છેલ્લે હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘આપે ઐશ્વર્ય છૂટું મૂક્યું છે, બરાબર ને ?’
	સ્વામીશ્રી કહે : ‘હરિભક્તો બિચારા દુઃખી ન થાય એટલે પ્રાર્થના કરીએ.’
	સ્વામીશ્રીએ ગર્ભિત રીતે કહી દીધું કે તેઓ ભક્તો માટે જ ઐશ્વર્ય વાપરે જ છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-14.5:
                                             
                                            Without the Conviction of God
                                        
                                        
                                            
	“However, those who follow the path of nivrutti but do not have the conviction of God should be known to be sagun due to their mãyik gunas. Furthermore, one should realise, ‘This person appears to be a staunch renunciant, but because he does not have the conviction of God, he is ignorant and will definitely go to narak.’ ”
	[Gadhadã II-14.5]