પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ચરણારવિંદ તો ઠાકોરજીના જ લેવાય... 
									
                                    
                                        
	ટોરન્ટો(કેનેડા)ના યુવકોએ સંપની ભાવનાને પ્રદર્શિત કરતું એક વિશિષ્ટ આયોજન કર્યું હતું. એક મોટા વસ્ત્ર પર દરેક હરિભક્તોના હાથની છાપ લીધી. તેમની ઇચ્છા વસ્ત્રની મધ્યમાં સ્વામીશ્રીના હસ્તની છાપ લેવાની હતી. તેમનો હેતુ એવો હતો કે મધ્યમાં વિરાજતા સ્વામીશ્રીની આજુબાજુ સૌ સંપથી એકબીજા સાથે ગુંથાઈ ગયા છે. આથી સ્વામીશ્રીને વાત કરી હસ્તની છાપ આપવા વિનંતી કરી.
	સ્વામીશ્રીએ ના પાડી દીધી : 'હાથની છાપ કે ચરણારવિંદ તો ઠાકોરજીના જ લેવાય. હું આશીર્વાદ લખી આપીશ. છાપ પાડવાની પ્રથા ન પડાય. જે હાથની છાપ લેવાની છે તે જ હાથથી લખી આપીશ પછી શું ?'
	સ્વામીશ્રીના આ તર્ક આગળ કોઈનું કાંઈ ન ચાલ્યું. સ્વામીશ્રીના ઇષ્ટદેવ પ્રત્યેના સ્વામી-સેવકભાવે સૌને નતમસ્તક કરી દીધા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-1:
                                             
                                            Consequence of Attachment to Vishays
                                        
                                        
                                            
	"… When the chitt is attracted to vishays such as sounds, touch, etc., no matter how intelligent one may be, one's buddhi becomes unstable and one becomes like an animal. Thus, infatuation is generated due to attachment to the vishays."
	 
	[Gadhadã II-1]