પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૫
ટરોરો, તા. ૨૫-૨-'૭૦
'લ્યો, આ પ્રસાદી.'
'બાપા, પછી અમે લઈ લઈશું, 'એમ કરી સંતોએ યોગીજી મહારાજને જમવાનો આગ્રહ કર્યો. કારણ સ્વામીશ્રી હમેશાં આ રીતે ફ્રૂટ વગેરે જે પ્રસાદ હોય એ બધાને વહેંચી દેતા. પણ પોતે જમવાનું ટાળતા.
'એમ ન હાલે. હું આપું તે પ્રસાદી ગણાય, તેનું ફળ જુદું,' સ્વામીશ્રીએ એવો તો જવાબ વાળ્યો કે કોઈ સામે દલીલ કરી શકે નહિ.
ભોળા જણાતા સ્વામીશ્રીની બોલવાની ચતુરાઈ એવી હતી કે સામાની વાણી જ બંધ થઈ જાય. એમના વિધાનમાં યુક્તિ હતી, અને એ યુક્તિ સૌને ભગવાનમાં જોડવા માટે જ હતી.
'બાપા, તમને સત્સંગીના દીકરાને સાધુ બનાવવા માંગતા બીક નથી લાગતી ?' એક ભક્તે પૂછ્યું.
'તમને ખબર નથી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે રાજાનો કુંવર હોય તેનેય હું મુંડી નાંખું.' સ્વામીશ્રીએ ગુરુના વચનનું સમર્થન આપ્યું.
'બાપા, મા-બાપને તો દુઃખ થાય ને...'
'શા માટે થાય ? એને દીકરામાં હેત છે તો અમારામાં હેત નથી ? કાઢો છેલ્લાનું સાતમું. સગાં-સંબંધી કરતાં અધિક સંતને વ્હાલા રાખવા. સંત અને ભગવાન એ બે જ વ્હાલા. એ માગે તે તરત સમજાવી કરીને દઈ દેવું. દીકરાને સમજાવીને અર્પણ કરી દેવો. તેને પુષ્ટિ કરનાર જોઈએ. મન ફેરવનાર અમે છીએ. 'જા, સ્વામીને રાજી કર. રાજીપો લીધા જેવો છે.' એમ મા-બાપ કહે, તો આપણે બળ કરીએ.'
અસંખ્ય જીવો જ્યારે પ્રલય અગ્નિમાં નિત્ય હોમાય છે ત્યારે ગુણાતીત યજ્ઞમાં આહુતિ આપી, ગુણાતીતરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી, જીવનને સાર્થક બનાવવાનું, ગુણાતીત સંત સિવાય સમજાવવાની કોણ હિંમત કરી શકે ? જેના હૃદયમાં જગત નથી, માયા નથી, પ્રપંચ નથી, એ જ આવું કહી શકે. બીજાની છાતી જ બેસી જાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-13:
Unshakeable Faith in God Through Scriptures
"On the other hand, if one does have faith in the scriptures, one would never turn away from God. Why? Because the scriptures describe an endless variety of divine actions and incidents of God; so, regardless of which action God performs, it will never be outside of the scriptures. Therefore, only one who has faith in the scriptures is able to develop unshakeable faith in God, and only such a person attains liberation. In addition, such a person would never deviate from dharma."
[Sãrangpur-13]