પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ગુણાતીત બાગના અનોખા માળી! 
									
                                    
                                        
	સ્વામીશ્રી ગુણાતીત બાગના અનોખા માળી છે. સત્સંગરૂપી બાગ અખંડ નવપલ્લવિત, પુષ્પિત, સુરભિત રહે તેની માવજત કરવી એ એમના જીવનનો એક અવિભાજ્ય ક્રમ બની ગયો છે.
	આજે નડિયાદના એક જૂના સત્સંગી દર્શને આવ્યા હતા. તેમને શાસ્ત્રીજી મહારાજના વખતનો બાપદાદાનો સત્સંગ. સ્વામીશ્રી તેમની ત્રણેય પેઢીઓને ઓળખે. સ્વામીશ્રીએ તેમને સહેજે પૂછ્યું: 'તમારો દીકરો કેમ દેખાતો નથી?'
	તેઓ કહેઃ 'બાપા! હું આવું છુ, પણ એને હવે સત્સંગમાં રસ ઓછો થઈ ગયો છે.' એમ કહી બીજી પણ કેટલીક તેના વિશેની ફરિયાદ સ્વામીશ્રી સમક્ષ એણે રજૂ કરી.
	સ્વામીશ્રીએ બાજુ માં ઊભેલા પ્રબુદ્ધમુનિ સ્વામીને કહ્યું: 'તમે આનું એડ્રેસ લઈ લો. એને ત્રણ-ચાર વખત ફોન કરજો. એને સમજાવજો કે 'સ્વામીએ આજ્ઞા કરી છે. તારે સત્સંગ રાખવાનો છે. તું મળી જા. તારા પિતા સત્સંગી છે, તું પણ સત્સંગી જ છે, તારા દાદા પણ સત્સંગી છે અને તું કેમ પાછો પડી ગયો?'
	ફરી સ્વામીશ્રી કહેવા લાગ્યાઃ 'હશે, યુવાની છે એટલે કુસંગ લાગ્યો હશે. પણ બે-ત્રણ-ચાર વખત ફોન કરીને બોલાવવો.' આ વૃદ્ધ વયે પણ સ્વામીશ્રીને એક પથચલિત મુમુક્ષુને ઢંઢોળવાની કેટલી શ્રદ્ધા છે!
	(તા. ૧૩-૫-૨૦૦૪, ગુરુવાર, લંડન)
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-7:
                                             
                                            Where Should One Seek Liberation?
                                        
                                        
                                            
	"So, one should seek liberation wherever one sees such a Naimishãranya Kshetra in the form of association with the Sant, and one should remain there with an absolutely resolute mind."
	 
	[Sãrangpur-7]