પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૪૧ 
									
                                    
                                        
	કંપાલા, તા. ૨૩-૩-'૭૦
	બપોરની કથામાં અંત્યનું ૩૦ વંચાવતા પ્રશ્ન નીકળ્યો કે, 'તેજને વિષે મૂર્તિ કોની છે ? મહારાજની કે ગુણાતીતની ?'
	યોગીજી મહારાજ કહે, 'બેય ભેગી જ છે.'
	'અક્ષર મહારાજની સેવામાં રહ્યા છે. તે સેવા કઈ ?' બીજો પ્રશ્ન.
	'મૂર્તિ સામું જોઈ રહેવું તે જ સેવા છે. છેલ્લાના નવ પ્રમાણે મૂર્તિ સામું જોઈ રહ્યા છે...' સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી.
	વળી, પ્રશ્ન નીકળ્યો : 'આટલું કરવાનું છે ને આટલું બાકી છે તે વ્યવહારનું કે મોક્ષનું ?'
	'આટલું મૂર્તિમાં જોડાણા, આટલું એકાંતિકપણામાં બાકી છે, તેનું અનુસંધાન રાખવું. આટલી મિલ બાંધવી છે, આટલાં કારખાનાં કરવાં છે તેનું અનુસંધાન ન રાખવું. મોક્ષમાં શું અટક્યું છે ? એકાંતિક ધર્મ કેટલો સિદ્ધ થયો ? કેટલા બ્રહ્મરૂપ થયા ? સ્વામિનારાયણમાં કેટલા જોડાણા ? એ અનુસંધાન રાખવું.' સ્વામીશ્રીએ સમજાવ્યું.
	 
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-78:
                                             
                                            Loyalty to Satsang
                                        
                                        
                                            
	Shriji Mahãrãj explained, "A person who is absolutely loyal to Satsang cannot tolerate in the least someone speaking ill of Satsang. For example, even though one may have had a disagreement with a member of one's family, one would be unable to tolerate anyone speaking ill of them. Therefore, just as one is loyal to one's relatives, if a person is similarly loyal to Satsang, then his foundation in Satsang is unfaltering."
	 
	[Gadhadã I-78]