પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-4-2010, ગાંધીનગર
ભૂમિભ્રમણના વચગાળામાં સ્વામીશ્રી કસરત કરતા હોય છે. અત્યારે કસરત ચાલુ થઈ એ દરમ્યાન સામે બેઠેલા સંતોએ કેટલાક બી.એ.પી.એસ. સંસ્થાના ગૌરવપ્રદ પ્રસંગોની વાતો કરી. સ્વામીશ્રી સાંભળી રહ્યા હતા.
કસરત પૂરી થતાં જ સ્વામીશ્રી અંતરના ઊંડાણથી બોલ્યા : ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે સંસ્થાનાં મૂળ ઊંડાં નાખ્યાં છે. બે વરસનું છોકરું હોય એનેય સમર્પણની ભાવના છે, બાકી એને કોણ સમજાવવા જતું હશે ? નાના-મોટા સૌને અંદરથી ભાવના છે. બધા જ સંસ્થા માટે સમર્પણ કરે છે.’
વચ્ચે યોગીચરણ સ્વામીએ કેટલાક અન્ય લોકોની વાત કરી કે જે લોકો એમ બોલ્યા હોય કે બી.એ.પી.એસ. સંસ્થાએ જે કર્યું છે એવું આપણે કરી જ ન શકીએ.
સ્વામીશ્રી આ સંદર્ભમાં જ કહે : ‘અહીં તો નાના-મોટા હોય એ બધાને એક જ વિચાર કે સંસ્થા માટે કંઈક કરી છૂટવું છે. બહાર તો ઓફિસરો હોય એ બધા મળે ને છૂટા પડે, એમાં કામ ક્યાંથી થાય ? આ તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પ છે, એટલે નાના-મોટા બધાને એમ જ છે કે આ કામ સારું જ કરવું છે. બધી જ રીતે સમર્પણ, દેહે કરીને પણ સમર્પણ અને ધને કરીને પણ સમર્પણ. છોકરાઓ પોતાના વાપરવાના પૈસા બચાવીને અહીં આપે, એમ કે આ સંસ્થાનું કામ કરવું જ છે. પેલામાં તો આૅફિસરો હોય એ આવે ને જુએ ને છૂટા પડી જાય. પણ અહીં તો બહુ ઊંડાણ છે. બધાને ભાવ છે, બધાને સમર્પણ છે. નાના-મોટા બધાને જીવમાં છે એટલે કામ થાય છે. ભગવાનની કૃપા છે એટલે દરેકના જીવમાં ભાવના છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની પણ કૃપા છે, એટલે કામ થાય છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપનામાં પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છે જ ને ?’
સ્વામીશ્રી કહે : ‘એ છે, એટલે જ એમને લઈને બધું થાય છે ને ! દરેકમાં અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન પ્રસરે છે અને કામ થાય છે.’
સ્વામીશ્રી સૌનાં સમર્પણ, ભોગ, ભક્તિ અને નિષ્ઠાના ગુણગાનમાં સરી પડ્યા.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Unforgettable Gnan
“If one has completely understood the essence of this discourse, then regardless of whether one is reborn in a base or elevated life form due to one’s prãrabdha karmas, still, like Vrutrãsur, one will not forget this gnãn. Also, when Bharatji was reborn as a deer, he retained gnãn from his previous life. Such is the profound greatness of this gnãn. In fact, it is even narrated continuously in the assemblies of sages such as Nãrad, the Sanakãdik, and Brahmã and other demigods.”
[Gadhadã II-13]