પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
રોજની જેમ આજે પણ સ્વામીશ્રી સમક્ષ ‘યોગીચરિતમ્’ ગ્રંથનું વાંચન શરૂ થયું. તેમાં કસણીની વાત આવી.
સ્વામીશ્રી કહે : ‘યોગીગીતામાં યોગીબાપાએ પ્રાર્થના કરી છે - તમારી કસણીમાં હંમેશાં રહેવાય.’
એક સંત કહે : ‘સત્પુરુષને તો સહન જ કરવાનું આવે છે, એટલે ટેવ પડી જાય.’
સ્વામીશ્રી કહે : ‘સહન કરવું એ ગુણ જ છે. સંતમાં એ ગુણ હંમેશાં રહે. એમણે સહન કર્યું એવું લાગે જ નહીં.’
સ્વામીશ્રી સમજાવી રહ્યા હતા કે સહનશક્તિ એ ટેવ પડવાથી સુદૃઢ થતો લૌકિક ગુણ નથી, પણ આ ગુણ તો સત્પુરુષમાં નિત્ય છે.
Vachanamrut Gems
Panchãlã-1:
Aim to Attain God's Abode
"Therefore, keeping this thought in mind, all of you should resolve, 'Now we want to reach only the abode of God; we do not want to be tempted by the vain pleasures of the panchvishays along the way.' So, please keep such a firm resolve. Because what I have told all of you is My principle, please imbibe it firmly in your lives."
[Panchãlã-1]