પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-10-2010, સારંગપુર
રૂપચોકી આગળ સ્વામીશ્રી પધાર્યા ત્યારે સંતો સૌ બોલ્યા : ‘પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર.’
નીલંકઠસેવા સ્વામી કહે : ‘શું આપશો ?’
વિરાટસ્વરૂપ સ્વામી કહે : ‘અક્ષરધામ આપો.’
સ્વામીશ્રી કહે : ‘આશીર્વાદ છે. આપણે સાધુ થયા છીએ તો સારામાં સારા સાધુ થાવ. નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના દૃઢ થાય. બીજાને પણ છાપ પડે કે સારામાં સારા સાધુ છે, એવું જીવન બનાવવું. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રાજી થાય એવું જીવન કરવાનું છે. એમને ગમે એવા આપણે થવું છે. એમને જે ન ગમે એનો ત્યાગ કરવો છે. એમની રુચિ પ્રમાણે આપણે કરવાનું છે. કોઈ વઢે, અપમાન કરે તોય વાંધો ન આવે. આપણે વિચાર કરવો કે આપણે સાધુ છીએ. એવી સાધુતા હશે તો છાપ પડશે. આપણી બીજી કોઈ શોભા કામ નથી લાગવાની. શોભ્યું છે એ સાધુતાને લીધે જ છે. માટે એના ઉપર તાન રાખવું. રજોગુણી વૃત્તિ જ નહીં. જોકે એ છે નહીં, પણ એનું ખાસ ધ્યાન રાખવું. એ ન આવી જાય એ ધ્યેય રાખવો. આ બધું દૃઢ રાખીને સંપીને કામ કરવું.’
સ્વામીશ્રીએ અદ્ભુત જીવન-ધ્યેય બતાવી દીધું.
Vachanamrut Gems
Gadhadã III-18:
Acting Only to the Extent of God's Instructions
“… Similarly, one who is free of worldly desires engages in activities only to the extent of the instructions given by God…”
[Gadhadã III-18]